કોંગ્રેસ નેતા જયરામ રમેશે કાશ્મીર ફાઇલ્સ પર કહ્યું- 'આ ફિલ્મ નફરતને ભડકાવે છે'!
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લોકોનું સારું સમર્થન મળી રહ્યું છે. જેના કારણે આ ફિલ્મનું કલેક્શન એક જ સપ્તાહમાં 100 કરોડને પાર કરી ગયું છે.
નવી દિલ્હી, 19 માર્ચ : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લોકોનું સારું સમર્થન મળી રહ્યું છે. જેના કારણે આ ફિલ્મનું કલેક્શન એક જ સપ્તાહમાં 100 કરોડને પાર કરી ગયું છે. એક તરફ સરકાર અને બીજેપી આ ફિલ્મનું સમર્થન કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ તેને મેકર્સનો પ્રોપેગેન્ડા ગણાવી રહી છે. હવે આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું છે.

જયરામ રમેશે કહ્યું કે કેટલીક ફિલ્મો પરિવર્તનની પ્રેરણા આપે છે, પરંતુ કાશ્મીર ફાઇલ્સ નફરત ઉશ્કેરે છે. સત્ય ન્યાય, પુનર્વસન, સમાધાન અને શાંતિ તરફ દોરી શકે છે, પરંતુ આ ફિલ્મમાં તથ્યોને વિકૃત કરવામાં આવ્યા છે. તદુપરાંત, ગુસ્સો ભડકાવવા અને હિંસાને પ્રોત્સાહન આપવા માટે ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. પ્રચારકો 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ પર કામ કરે છે અને લોકોના ડરનો લાભ પણ લે છે.
જયરામ રમેશ પહેલા આ ફિલ્મને લઈને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું કે ફિલ્મ સત્યથી દૂર છે, કારણ કે ફિલ્મ નિર્માતાઓએ ઘાટીમાં આતંકવાદનો ભોગ બનેલા મુસ્લિમો અને શીખોના બલિદાનની અવગણના કરી હતી. અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીરી પંડિતોના હિજરત સમયે તેમના પિતા અને પાર્ટીના વડા ફારુક અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ન હતા. તે સમયે જગમોહન રાજ્યપાલ હતા, જ્યારે કેન્દ્રમાં વીપી સિંહની સરકાર હતી, જેને ભાજપનું સમર્થન હતું.
ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન પીએમએ ફિલ્મના જોરદાર વખાણ કર્યા હતા. સત્ય લોકો સમક્ષ લાવવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો. આ પછી ટીમ ગૃહમંત્રી અમિત શાહ, RRS ચીફ મોહન ભાગવત સહિત ઘણા નેતાઓને મળી. આ કારણે વિપક્ષી પાર્ટીઓ પણ આ ફિલ્મ પર સવાલ ઉઠાવી રહી છે.












Click it and Unblock the Notifications
