કોંગ્રેસ MLAનો દાવો-ભાજપે મારી પત્નીને નથી કરી 15 કરોડની ઓફર, ટેપ નકલી
એક કોંગ્રેસ ધારાસભ્યએ પોતાના પક્ષની પોલ ખોલી દીધી છે. કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે પોતાના પક્ષના નેતાઓની વાત ખોટી પાડતા એક ફેસબુક પોસ્ટ લખી છે.
કર્ણાટકમાં યેદુરપ્પાના ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યુ છે. પુરાવા રૂપે કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ઓડિયો ટેપ પણ જારી કરી. પરંતુ હવે એક કોંગ્રેસ ધારાસભ્યએ પોતાના પક્ષની પોલ ખોલી દીધી છે. કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે પોતાના પક્ષના નેતાઓની વાત ખોટી પાડતા એક ફેસબુક પોસ્ટ લખી છે.

કોંગ્રેસી ધારાસભ્યએ ખોલી પોલ
કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે કોંગ્રેસના એ દાવાને ખોટો સાબિત કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમને અને તેમની પત્નીને ભાજપે પૈસાની લાલચ આપી હતી. શિવરામ હેબ્બરનું કહેવુ છે કે કોંગ્રેસ નેતાઓએ જે ઓડિયો ટેપ જારી કરી છે તેમાં તેમની પત્નીનો અવાજ નથી.
ધારાસભ્યએ ફેસબુક પોસ્ટ લખીને કર્યો ઈનકાર
તેમણે આગળ કહ્યુ કે, "તેમને અને તેમની પત્નીને કોઈએ ફોન કર્યો નથી અને તે આ પ્રકારની રાજનીતિની નિંદા કરે છે." શિવરામ હેબ્બરે ફેસબુક પર લખ્યુ કે, "તે જનતાનો આભાર માને છે કે જનતાએ તેમને ફરીથી તક આપી છે. તેઓ જનતા માટે કામ કરતા રહેશે."
They (BJP) offered me Minister post & all, it's a fact. I don't know about Hebbar (Congress MLA Shivaram Hebbar who reportedly claimed that Congress lied about bribe tape), I can talk about myself. Yeddyurappa, Sriramulu & Muralidhar Rao spoke to me: BC Patil, Cong MLA #Karnataka pic.twitter.com/pJoFIr0d3X
— ANI (@ANI) May 21, 2018
કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટિલ બોલ્યા, "મને કર્યો હતો ફોન"
કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે ભલે કોંગ્રેસના આરોપોને ખોટા કહ્યા હોય પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટિલે કહ્યુ કે, "ભાજપે મને મંત્રી પદ ઓફર કર્યુ હતુ." ધારાસભ્ય શિવરામ વિશે બોલતા બીસી પાટિલે કહ્યુ કે, "મને ખબર નથી કોણ શું કહી રહ્યુ છે. હું માત્ર મારા વિશે કહી શકુ છુ. યેદુરપ્પા, શ્રીરામુલુ અને મુરલીધર રાવે મારી સાથે વાત કરી હતી."
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
