Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'પીએમની હેટ સ્પીચ એ તેમને સંઘમાંથી મળેલા સંસ્કાર છેઃ મોદીના મુસલમાનવાળા નિવેદન પર ખરગેનો પલટવાર

Lok Sabha Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં રવિવારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનનો હવાલો આપીને કહ્યુ હતુ કે કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસલમાનોમાં વહેંચી દેશે.

હવે કોંગ્રેસે પીએમ મોદીના મુસલમાનવાળા નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષે આને ઘૃણાસ્પદ ભાષણ ગણાવીને કહ્યુ કે આ લોકોનુ ધ્યાન ભટકાવવાની ચાલ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે આજે મોદીજીની હેટ સ્પીચથી દેખાયુ કે પહેલા તબક્કાના પરિણામોમાં ઈન્ડિયા જીતી રહ્યુ છે.

kharge-rahul-owaisi

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યુ કે, આજે મોદીજીના ભયાનક ભાષણે બતાવ્યુકે ઈન્ડિયા પ્રથમ તબક્કામાં જીતી રહ્યુ છે. મોદીજીએ જે કહ્યુ તે ચોક્કસપણે નફરતભર્યુ ભાષણ છે. પરંતુ તે ધ્યાન ભટકાવવા માટે એક જાણીજોઈને ઘડેલુ કાવતરુ પણ છે. વડાપ્રધાને જે કહ્યુ એ તેમને સંઘમાંથી મળેલા સંસ્કાર છે.

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ઉમેર્યુ કે, સત્તા માટે જૂઠું બોલવું, વસ્તુઓનો ખોટો ઉલ્લેખ કરવો અને વિરોધીઓ પર ખોટા આરોપો લગાવવા એ સંઘ અને ભાજપની તાલીમની વિશેષતા છે. અમારો મેનિફેસ્ટો દરેક ભારતીય માટે છે. તે બધા માટે સમાનતાની વાત કરે છે. બધા માટે ન્યાયની વાત કરે છે. કોંગ્રેસનું ન્યાય પત્ર સત્યના પાયા પર આધારિત છે, પરંતુ એવું લાગે છે કે ગોબેલ્સ જેવા સરમુખત્યારની ખુરશી હવે હલી રહી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યુ કે મતદાનના પ્રથમ તબક્કામાં "નિરાશા"નો સામનો કર્યા પછી પીએમ નરેન્દ્ર મોદીના જુઠ્ઠાણાનું સ્તર એટલું નીચે ગયું છે કે તેઓ હવે પરેશાન થઈને લોકોને મુદ્દાઓથી ભટકાવવા માંગે છે. કોંગ્રેસના "ક્રાંતિકારી ઢંઢેરા" માટે પુષ્કળ સમર્થનના વલણો બહાર આવવા લાગ્યા છે. દેશ હવે તેના મુદ્દાઓ પર મત આપશે, તેના રોજગાર, તેના પરિવાર અને તેના ભવિષ્ય માટે મત આપશે. ભારતને હવે ભટકાવી શકાશે નહિ.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ લોકોને વિનંતી કરી કે "તમારી શક્તિનો ઉપયોગ કરો" અને ભાષણ માટે વડા પ્રધાન સામે ફરિયાદો કરો. "ચૂંટણી પંચ વિપક્ષની અવગણના કરે છે અને મોદી અને ભાજપને ફ્રી પાસ આપી દે છે. ચૂંટણી દરમિયાન, EC રાજકીય પક્ષો માટે જવાબદાર નથી. પરંતુ - તેઓ ભારતના લોકો માટે જવાબદાર છે. આ મુખ્ય ચૂંટણી કમિશનરનું ઇમેઇલ સરનામું છે: [email protected],".

તેમણે ઉમેર્યુ કે શું ઓછામાં ઓછા 1000 જવાબદાર ભારતીય નાગરિકો આવતીકાલે સાંજ પહેલા મોદી સામે કડક પગલાં લેવાની માગણી કરતો ટૂંકો ઈમેલ સીઈસીને મોકલશે? તમારા અવાજનો ઉપયોગ કરવાની અને આ ચૂંટણીઓમાં માત્ર મતદાન સિવાય તમારી ભૂમિકા ભજવવાની આ તમારી તક છે. 1 ટૂંકો ઈમેલ. 1000 ભારતીયો. તેઓ તમારા સામૂહિક અવાજોને અવગણી શકતા નથી."

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે યુવાનો, મહિલાઓ, ખેડૂતો, દલિતો અને પછાત મુદ્દાઓ પર એક પણ પ્રશ્નનો જવાબ આપવાને બદલે વડા પ્રધાન રાજસ્થાનમાં તેમની રેલીઓમાં વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા "બેશરમીથી જૂઠું બોલ્યા" અને "અપમાનજનક" નિવેદનો કર્યા.

વડા પ્રધાનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મોદીએ આજે ​​મુસ્લિમોને ઘૂસણખોર અને ઘણા બાળકો ધરાવતા લોકો કહ્યા છે. 2002થી આજદિન સુધી માત્ર મોદીની ગેરંટી મુસ્લિમોનો દુરુપયોગ કરીને વોટ મેળવવાની છે. જો કોઈ દેશની સંપત્તિની વાત કરવામાં આવે તો કોઈએ જાણવું જોઈએ કે મોદીના શાસનમાં ભારતની સંપત્તિ પર પહેલો અધિકાર તેમના શ્રીમંત મિત્રોનો રહ્યો છે. 1% ભારતીયો પાસે દેશની 40% સંપત્તિ છે. સામાન્ય હિંદુઓને મુસ્લિમોથી ડરાવવામાં આવે છે જ્યારે તેમની સંપત્તિનો ઉપયોગ અન્યને સમૃદ્ધ કરવા માટે કરવામાં આવે છે."

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધીને કહ્યુ હતુ કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં ફરીથી વહેંચશે. કોંગ્રેસ પાર્ટી માતાઓ અને બહેનોના મંગળસૂત્ર પણ છીનવી લેશે. આ લોકો પહેલા જ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. મતલબ કે જેમના વધુ બાળકો છે તેમને વધુ મિલકત મળશે. શહેરી નક્સલીઓની વિચારસરણી માતાઓ અને બહેનોના મંગળસૂત્રને પણ ટકી રહેવા દેશે નહીં.

પીએમ મોદીએ કહ્યું હતુ કે કોંગ્રેસ હવે ડાબેરીઓના બંધનમાં ફસાઈ ગઈ છે. અહીં આવેલા એક મિત્રએ અમને કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો જુઓ કે તેમની સરકાર આવશે તો તમારી મિલકતનું ઓડિટ થશે. માતા અને બહેનોના સોના અને ઝવેરાતની કિંમત પણ આંકવામાં આવશે. તેઓ કહે છે કે દેશની સંપત્તિ પર મુસ્લિમોનો અધિકાર છે. શું ઘુસણખોરોને તમારી મિલકત પર અધિકાર છે? આ લોકો તમારું મંગળસૂત્ર પણ રહેવા નહીં દે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસનો શિષ્ટાચાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X