For Daily Alerts
મરજીથી દેહવ્યાપાર કરતી વેશ્યાને પોલીસ નહી કરી શકે ગિરફ્તાર
સુપ્રિમકોર્ટ ધ્વારા બનાવવામાં આવેલી એક પેનલનું માનવું છે કે પોતાની મરજીથી દેહવ્યાપાર કરતી વેશ્યા વિરુદ્ધ પોલીસ કોઈ પણ પ્રકાર ની કારવાહી નહી કરી શકે. તમને જણાવી દઈએ કે આ પેનલની રચના સુપ્રિમકોર્ટ ધ્વારા વર્ષ 2011 માં થઇ હતી અને આવતા મહીને માર્ચમાં આ પેનલ પોતાનો રિપોર્ટ આપશે.
અંગ્રેજી પેપર હિન્દુસ્તાન ટાઇમ્સ મુજબ આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે જે વેશ્યા પોતાની મરજીથી દેહ વ્યાપાર કરતી હોઈ છે તેને પોલીસ ગિરફ્તાર કરી શકે જ નહી. પેનલના મત મુજબ દેશમાં વેશ્યાવૃતિ પર પ્રતિબંદ છે પરંતુ મરજીથી વેશ્યાવૃતિ કરવા પર કોઈ જ પ્રતિબંદ નથી.
પેનલનું માનવું છે કે દેશમાં કાનૂની જટિલતાના કારણે વેશ્યાવૃતિ સાથે જોડાયેલા લોકોને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.
Comments
English summary
Prostitution being illegal in India often makes prostitutes vulnerable to police action. Supreme Court panel on said that it is not a crime when adults voluntarily participate in prostitution.
Story first published: Tuesday, February 16, 2016, 14:33 [IST]