ઘરે ઘરે જઈને કોરોના રસીકરણનો આદેશ ન આપી શકાય-સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે દેશની વિવિધતાને જોતા COVID-19 નું ડોર ટુ ડોર રસીકરણ શક્ય નથી અને તે હાલની નીતિને દૂર કરવા માટે સામાન્ય નિર્દેશ આપી શકે તેમ નથી.
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે દેશની વિવિધતાને જોતા COVID-19 નું ડોર ટુ ડોર રસીકરણ શક્ય નથી અને તે હાલની નીતિને દૂર કરવા માટે સામાન્ય નિર્દેશ આપી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે વિકલાંગો અને સમાજના નબળા વર્ગના લોકો માટે ડોર-ટુ-ડોર COVID-19 સારવારની માંગ કરતી વકીલોની અરજીને માનવાનો ઇનકાર કરતા કહ્યું કે, રસીકરણ અભિયાન પહેલાથી જ ચાલી રહ્યું છે અને 60 ટકાથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે અરજદાર યુથ બાર એસોસિએશનને તેમના સૂચનો સાથે આરોગ્ય મંત્રાલયમાં સક્ષમ અધિકારીનો સંપર્ક કરવા કહ્યું છે. તેમણે કહ્યું, લદ્દાખની સ્થિતિ કેરળથી અલગ છે. ઉત્તરપ્રદેશની સ્થિતિ અન્ય કોઈપણ રાજ્યથી અલગ છે. શહેરી વિસ્તારોની પરિસ્થિતિ ગ્રામીણ વિસ્તારોથી અલગ છે. આ વિશાળ દેશમાં દરેક રાજ્યમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ છે. એક બ્રશથી તમને આખા દેશ માટે ઓર્ડર જોઈએ છે. રસીકરણ અભિયાન પહેલેથી જ ચાલી રહ્યું છે અને 60 ટકાથી વધુ વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કોઈએ તો મુશ્કેલી સમજવી જોઈએ. તે શાસનની બાબત છે, અમે ન કહીં શકીયે કે તમે હાલની નીતિ હટાવી દો.
અરજીમાં ભારતના સંઘ અને તમામ રાજ્યોના સમાજમાં દિવ્યાંગ અને નબળા વર્ગના ઘરે ઘરે કોવિડ રસીકરણ માટે દિશા નિર્દેશો માંગવામાં આવ્યા હતા, કારણ કે તે કોવિન પોર્ટલ પર પોતાની નોંધણી કરવામાં મુશ્કેલી અનુભવે છે. ખંડપીઠે કહ્યું, રસીકરણ કાર્યક્રમ પહેલેથી જ ચાલી રહ્યો છે અને અદાલત સુઓમોટો લઈને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે દેશની વિવિધતાને ધ્યાનમાં રાખીને સામાન્ય માર્ગદર્શિકા પસાર કરવી શક્ય અને વ્યવહારુ નથી અને સાથે ઉમેર્યું કે, કોઈપણ દિશા નિર્દેશો પસાર થવાથી સરકારની હાલની રસીકરણ નીતિને અસર ન કરવી જોઈએ.
જ્યારે અરજદારના વકીલે કહ્યું કે આરોગ્ય મંત્રાલયને સમય મર્યાદામાં પ્રતિનિધિત્વ પર વિચાર કરવા માટે કહેવામાં આવવું જોઈએ, ત્યારે બેન્ચે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે આ સમય દરમિયાન આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ કેટલા દબાણમાં છે. તેમને ઓક્સિજનની તલાસ કરવાની છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં જાન્યુઆરી મહિનાથી ચાલી રહેલુ રસીકરણ અભિયાન હવે રફ્તાર પકડી રહ્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
