For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેક્સીન આવ્યા બાદ દિલ્લીમાં 3-4 સપ્તાહમાં થઈ જશે તેનુ વિતરણઃ સત્યેન્દ્ર જૈન

દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એ ઘોષણા કરી છે કે જ્યારે પણ વેક્સીન આવી જશે ત્યારે દિલ્લીમાં અમે તેને 3-4 સપ્તાહમાં વિતરિત કરાવી દઈશુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વેક્સીનની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. દેશમાં અત્યારે 30 વેક્સીન પર કામ ચાલી રહ્યુ છે પરંતુ તેમાંથી 3નુ પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યુ છે કે માર્ચ સુધી ભારતમાં વેક્સીનની ઘોષણા થઈ શકે છે. વેક્સીન આવ્યા બાદ તેનુ વિતરણ પણ સરકાર સામે મોટી ચેલેન્જ છે. આ વિશે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એ ઘોષણા કરી છે કે જ્યારે પણ વેક્સીન આવી જશે ત્યારે દિલ્લીમાં અમે તેને 3-4 સપ્તાહમાં વિતરિત કરાવી દઈશુ. સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે અમે પહેલેથી તૈયારી કરી રાખી છે. અમારી સ્વાસ્થ્ય સુવિધાઓ જેવી પોલિક્લિનિક્સની મદદથી દિલ્લીમાં વેક્સીનનુ વિતરણ કરવામાં આવશે.

satyendr jain

પીએમે વેક્સીનના વિતરણ પર રણનીતિ તૈયાર કરવા માટે કહ્યુ હતુ

તમને જણાવી દઈએ કે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ બધા મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અને રસીકરણ પર ચર્ચા કરી હતી. પીએમે આ બેઠકમં બધા મુખ્યમંત્રીઓને વેક્સીનના વિતરણ પર રણનીતિ તૈયાર કરવા માટે કહ્યુ હતુ.

દિલ્લીમાં શુક્રવારે પણ આવ્યા 5 હજાર કેસથી વધુ કેસ

દિલ્લામાં કોરોનાનો કહેર ફેસ્ટીવ સિઝન બાદ ખૂબ જ વધી ગયો છે. દિલ્લીમાં શુક્રવારે પણ 5482 નવા કેસ મળવાથી દિલ્લી સરકારની ચિંતા વધી ગઈ છે. આ પહેલા દિલ્લી સરકાર રાજધાનીમાં કોરોના સંક્રમણના દરમાં કમી હોવાનો દાવો કરી રહી હતી પરંતુ શુક્રવારે આવેલા નવા કેસોએ સરકારના દાવાન પોલ ખોલી દીધી.

પીએમ મોદીએ શેર કર્યો અમદાવાદની ઝાયડસ લેબનો અનુભવપીએમ મોદીએ શેર કર્યો અમદાવાદની ઝાયડસ લેબનો અનુભવ

English summary
Corona vaccine distribution will be done in 3-4 weeks in Delhi: Health Minister Satyendra jain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X