કોરોના વાયરસઃ કાલે રાતથી બધી ઘરેલુ ઉડાનો પર પણ રોક
કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે સરકારે ઘરેલુ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે સરકારે ઘરેલુ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે જારી આદેશ મુજબ 24 માર્ચની રાતથી બધી ઘરેલુ ઉડાનો રદ કરી દેવામાં આવી રહી છે. જો કે કાર્ગો ફ્લાઈટ પર આ પ્રતિબંધ લાગુ નહિ થાય. દેશમાં રેલ સેવાઓ પહેલેથી 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. વળી, રાજધાની દિલ્લી સહિત દેશના મોટાભાગના હિસ્સાઓમાં બસ સેવાઓ પણ અટકી ગઈ છે.

રવિવારે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે બીજા પ્રતિબંધ સાથે સાથે 31 માર્ચ સુધી દિલ્લીમાં લૉકડાઉન દરમિયાન બધી ઘરેલુ-આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ રદ રહેશે. બાદમાં દિલ્લી સરકારના નિર્ણયને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પલટી દીધો હતો. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ઉડાનો અંગે નિર્ણય લેવાનો અધિકાર માત્ર કેન્દ્રને છે. એવામાં આઈજીઆઈ એરપોર્ટ પર આવતી અને અહીંથી ઉડાન ભરતી બધી ઘરેલુ ઉડાનોનુ સંચાલન ચાલુ રહેશે. જો કે એક દિવસ બાદ આજે ઉડાનો પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે દેશ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આને જોતા સતત ઘણા પ્રકારના પ્રતિબંધો લાગી રહ્યા છે. પંજાબમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે તતો દેશના એક મોટા ભાગમાં લૉકડાઉન છે. રાજધાની દિલ્લી સહિત દેશભરમાં એ 75 જિલ્લાઓને 31 માર્ચ સુધી લૉકડાઉન કરવાના નિર્દેશ આપ્યા છે જ્યાં કોરોના વાયરસ સંક્રમણના પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. રાજસ્થાન અને ઉત્તરાખંડ પ સંપૂર્ણપણે લૉકડાઉન છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. વળી, સાત લોકોના મોત પણ કોરોના વાયરસના કારણે થયા છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. દુનિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખથી વધી ગઈ છે. દુનિયાભરમાં 14 હજારથી વધુ લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
