દેશમાં કોરોના વાયરસનુ માત્ર લોકલ ટ્રાન્સમિશન, હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે દેશમાં કોરોના વાયરસ હજુ માત્ર લોકલ ટ્રાન્સમિશન એટલે કે સ્થાનિક ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે દેશમાં કોરોના વાયરસ હજુ માત્ર લોકલ ટ્રાન્સમિશન એટલે કે સ્થાનિક ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે. સોમવારે મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ કે જો દેશમાં વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચી જશે તો અમે એનો સ્વીકાર કરીશુ પરંતુ દેશમાં હજુ સુધી એ તબક્કામાં આ વાયરસ નથી પહોંચ્યો. સ્ટેજ 3 તો કમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવાય છે. એ વધુ ખતરનાક હોય છે. એમાં એ નથી ખબર પડતી કે વ્યક્તિ સંક્રમિત કેવી રીતે થયો છે અને એ બહુ ઝડપથી વધે છે.

લવ અગ્રવાલે સોમવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ
કોરોના વાયરસની ભારતમાં સ્થિતિ વિશે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ છે કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 1071 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી આ વાયરસે 29 લોકોના જીવ લીધા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 92 નવા કેસ સામે આવ્યા છે અને ચાર લોકોનુ આ જાનલેવા વાયરસના કારણે મોત થયુ છે.

કોરોના વાયરસના 38,442 પરીક્ષણ કરાયા
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના ડૉ ગંગા કેટકરે માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 38,442 પરીક્ષણ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યુ કે ગૃહ સચિવે રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલિસ અધીક્ષકોને નિર્દેશ આપ્યા કે તે ફસાયેલા શ્રમિકો માટે ભોજન અને આશ્રય સુનિશ્ચિત કરે.

વિશ્વમાં કોરોના વાયરસની અસર
દુનિયામાં આ વાયરસથી પીડિતોની સંખ્યા સાત લાખ 32 હજાર થઈ ચૂકી છે. 34, 600 લોકો દુનિયામાં આ વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. આ વાયરસ ચીનથી શરૂ થયો હતો પરંતુ ત્યાં હવે ઘણુ કાબુમાં છે. અત્યારે આ ઈટલી, ફ્રાંસ, સ્પેન, અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં કહેર વર્તાવી રહ્યો છે. અમેરિકામાં આનથી મરનારની સંખ્યા 2489 થઈ ચૂકી છે. ચીનમાં આનાથી મરનારની કુલ સંખ્યા 3,304 છે. ઈટલીમાં 10,775 લોકોના મોત થયા છે. સ્પેનમાં 7340, ઈરાનમાં 2640 અને ફ્રાંસમાં 2606 લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે. જર્મનીમાં 541, ઈંગ્લેન્ડમાં 1228, બેલ્જિયમમાં 513, સ્વિત્ઝરલેન્ડમાં 312, નેધરલેન્ડ 771, તૂર્કીમાં 131, ઑસ્ટ્રિયામાં 86, પોર્ટુગલમાં 119,બ્રાઝિલમાં 136, સ્વીડનમાં 110, ઈન્ડોનેશિયામાં 122, ઈરાકમાં 42 મોત થઈ ચૂક્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
