For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મહામારી ઘોષિત થયો કોરોના વાયરસ, શાળા-કૉલેજ, થિયેટરો બંધ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)તરફથી કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવાના એક દિવસ બાદ દિલ્લી સરકારે પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)તરફથી કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવાના એક દિવસ બાદ દિલ્લી સરકારે પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી દીધી છે. દિલ્લીની બધી શાળા, કૉલેજ અને થિયેટરોને 31 માર્ચ સુધી માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે કોરોના વાયરસના જોખમને જોતા થિયેટરોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે શાળાઓ અને કૉલેજોની પરીક્ષા ખતમ થઈ ગઈ છે, તેમને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે.

Coronavirus

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ મુજબ ગુરુવાર સુધી દેશમાં કોરોના વાયરસના 73 કેસ સામે આવી ચૂક્યા છે. ગુરુવારે ઉત્તર પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્રના અમુક નવા કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કેભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા ભારત સરકારે એડવાઈઝરી જારી કરી દીધી છે. સરકારે ભારતીયોને વિદેશ ન જવાની સલાહ આપી છે જ્યારે 15 એપ્રિલ સુધી વિદેશથી ભારત આવનારાના વિઝાને રદ કરી દેવામાં આવ્યા છે. જો કે આ આદેશમાં રાજનાયકોને છૂટ આપવામાં આવી છે. વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે જે વિશ્વ આરોગ્ય સંગઠન માટે પણ હેરાન કરનારી બાબત છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસ વિશે પીએમ મોદીઃ હાલમાં કોઈ મંત્રી વિદેશ યાત્રા નહિ કરે, દેશવાસીઓ પણ બચેઆ પણ વાંચોઃ કોરોના વાયરસ વિશે પીએમ મોદીઃ હાલમાં કોઈ મંત્રી વિદેશ યાત્રા નહિ કરે, દેશવાસીઓ પણ બચે

English summary
Coronavirus Pandemic: All Schools, Colleges and Cinema Halls in Delhi Shut till March 31.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X