દેશમાં 3 લાખ 81 હજારથી વધુ લોકોને મૂકાઈ કોરોના વેક્સીન, 580ને સાઈડ ઈફેક્ટ, જાણો દરેક વાત
દેશભરમાં અત્યાર સુધી 3 લાખ 81 હજાર 305 લોકોને કોરોના વાયરસ(Coronavirus)ની વેક્સીન લાગી ચૂકી છે.
Coronavirus Vaccination Update News: ભારતમાં કોરોના વાયરસના વેક્સીનેશન અભિયાનને શરૂ થયાને 3 દિવસ થઈ ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધી 3 લાખ 81 હજાર 305 લોકોને કોરોના વાયરસ(Coronavirus)ની વેક્સીન લાગી ચૂકી છે. સોમવારે(18 જાન્યુઆરી)એ 1,48,266 લોકોનુ વેક્સીનેશન કરવામાં આવ્યુ છે. ભારત સરકરાના આરોગ્ય મંત્રાલયે આ સાથે એ પણ માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધી કુલ 580 લોકોને રસી મૂક્યા બાદ એડવર્સ ઈફેક્ટ(સાઈડ ઈફે્કટ AEFI) જોવા મળી છે.
વળી, 7 લોકો હોસ્પિટલમાં ભરતી છે. કોરોના વેક્સીન લાગ્યા બાદ મોતના બે કેસ રિપોર્ટ થયા છે. જો કે આ બંને મોત પાછળ કોવિડ-19 વેક્સીન કારણ નથી. સરકારે કહ્યુ છે કે 580 લોકોને કોરોના વેક્સીન લાગવાની સાઈડ ઈફેક્ટ છે પરંતુ કુલ લોકોને લાગેલી રસીના માત્ર 0.2 ટકા જ છે. એટલે કે કુલ મળીને જોઈએ તો 0.2 ટકા લોકોને જ કોરોના વેક્સીન લાગ્યા બાદ મુશ્કેલી થઈ છે.
લો બોલો, અરુણાચલમાં ચીને એક આખું ગામ વસાવી લીધું