કોને લાગશે વેક્સીન, કોને નહિ, કેન્દ્રએ રાજ્યોને મોકલી DOs અને Don'tsની લિસ્ટ
બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર તરફથી રસીકરણ અંગે દિશા-નિર્દેશ આપ્યા છે.
Centre Govt Sends Rulebook To States over vaccination: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એક દિવસ બાદ 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વાયરસ વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન હશે. આને જોતા બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર તરફથી દિશા-નિર્દેશ આપ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી શું કરવુ અને શું ન કરવુ(dos and don'ts vaccination)વિશે જણાવ્યુ છે. શનિવાર(16 જાન્યુઆરી) થનારા વેક્સીન રોલઆઉટ(Vaccine Rollout)માં દેશભરમાં 3,006 સાઈટો પર 3 લાખ આરોગ્ય કર્મચારીઓના શામેલ કરવાની આશા છે. દરેક કેન્દ્ર પર 100 લાભાર્થીઓનુ રસીકરણ હશે.

કોરોના રસીકરણ શરૂ કરતા પહેલા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સીનનો પૂરતો ડોઝ પણ મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ભારત સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સીન રસીની 1.65 કરોડ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યોને બંને વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીન(Serum Institute's Covishield and Bharat Biotech's Covaxin) માટે એક વ્યાપક ફેક્ટ શીટ મોકલી છે. આ DOs અને Don'ts વાળા દસ્તાવેજમાં વેક્સીન રોલઆઉટ, ફિઝિકલ સ્પેસિફિકેશન, ડોઝ, કોલ્ડ ચેઈન સ્ટોરેજની જરૂરિયાત વિશે બધી માહિતી આપવામાં આવી છે.
સરકારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીન વિશે આપ્યો આ નિર્દેશ
- કોરોના વેક્સીન માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ લાગશે.
- જે મહિલાઓ ગર્ભવતી છે અને જે પોતાની ગર્ભાવસ્થા માટે સુનિશ્ચિત નથી તેમણે પણ કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં નહિ આવે.
- સ્તનપાન કરાવતી મહિલાઓને પણ વેક્સીન લગાવવામાં નહિ આવે.
- જો કોઈ વ્યક્તિને કોઈ અન્ય બિમારીની વેક્સીન પણ લગાવવાની હોય તો કોરોના વેક્સીન લગાવવા વચ્ચે 14 દિવસનુ અંતર હોવુ જોઈએ.
- સરકારે સ્પષ્ટ કર્યુ છે કે પહેલો ડોઝ જે વેક્સીનો લાગશે, બીજો પણ એ જ વેક્સીનનો લાગશે.
- ઈન્ટરચેન્જ કરવાના આદેશ નથી.
- જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેને કોરોના વેક્સીન રિકવર થયાના 4થી 8 સપ્તાહ બાદ લાગશે.
- વળી, જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય બિમારીથી ગ્રસિત હોય તો તેનુ રસીકરણ પણ રિકવર થયાના 4થી 8 સપ્તાહ બાદ હશે.
- જો કોરોનાથી પહેલા સંક્રમિત થઈ ચૂક્યા હોય કે જેમને ઘણી ગંભીર બિમારીઓ(કાર્ડિયાક, ન્યૂરોલૉજિકલ, પલમોનરી, મેટાબૉલિક, એચઆઈવી) હોય, તેને વેક્સીન આપી શકાય છે.
- કોરોના વેક્સીનનો પહેલો ડોઝ જેમને ઑનફ્લેકિટીક કે એલર્જી રિએક્શન થયુ હોય, તેને વેક્સીન આપવાની નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
