Coronavirus: ક્યારે પહેરવું જોઈએ માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી
Coronavirus: ક્યારે પહેરવું જોઈએ માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી
નવી દિલ્હીઃ ભારતમાં ફેલાઈ રહેલ કોરોનાવાઈરસને લઈ લોકોના મનમાં ઘણા સવાલો છે. ખાસ કરીને કોરોનાથી બચવાના ઉપાયો શું શું છે, તે વિશે બધાને જાણકારી હોવી જોઈએ. સૌથી પહેલા તમે ક્યાંક સાર્વજનિક જગ્યાએ જાઓ છો તો માસ્ક પહેરીને રાખો. જો કે માસ્ક ક્યાં અને ક્યારે ક્યારે પહેરવું ચે તેને લઈને પણ સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

ક્યારે પહેરવું જોઈએ માસ્ક
- જો તમારામાં કોરોનાના લક્ષણ જણાય જેમ કે ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં મુશકેલી થઈ રહી હોય.
- જો તમે કોવિડ-19 સંદિગ્ધ / રોગીની દેખભાળ કરી રહ્યા હોવ.
- તમે એક સ્વાસ્થ્ય કાર્યકર્તા છો જે દર્દીઓની દેખભાળ કરી રહ્યા હોય.
માસ્ક પહેરતી વખતે આ સુનિશ્ચિત કરો
- ચહેરાનું માસ્ક સારી રીતે ઢંકાયેલું હોવું જોઈએ.
- છ કલાક બાદ અથવા તો જેવું ભીનું થઈ જાય કે માસ્ક તરત બદલી કાઢો.
- તમારું નાક, મોઢું માસ્કથી બરાબર ઢંકાય જાય તે સુનિશ્ચિત કરો અને કોઈ ગેપ ના રહી જાય તે ચકાશો.
- ડિસ્પોજલ માસ્કનો ઉપયોગ ક્યારેય ના કરવો અને ઉપયોગમાં લેવાયેલા માસ્કને બંધ ડબ્બામાં જ ફેંકવાં.
- ઉપયોગ કરતી વખતે માસ્કને અડવાથી બચો
- માસ્ક હટાવતી વખતે તેની સંભવિત દૂષિત બાહરી સાઈડને ના અડવી.
- માસ્કને ડોક પર લટકાવી ના રાખવાં
- માસ્ક હટાવ્યા બાદ તમારા હાથને સાબુના પાણીથી સાફ કરો અથવા આલ્કોહોલ-આધારિત સેનેટાઈઝનો ઉપયોગ કરો.












Click it and Unblock the Notifications
