ભ્રષ્ટાચાર લોકતંત્ર માટે ખતરોઃ રાષ્ટ્રપતિ

તેમણે કહ્યું કે, સારું શાસન, આપણું અડગ લક્ષ્ય હોવું જોઇએ, આપણે કાયદાના શાસનના ક્રિયાન્વયનમાં સુધારા લાવવા જોઇએ અને એક સહમતિ ભર્યો દૃષ્ટિકોણ અપનાવવો જોઇએ.
રાષ્ટ્રપતિ, કેન્દ્રીય તપાસ એજન્સી(સીબીઆઇ)ની સ્વર્ણ જંયતિના ભાગરૂપે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને ત્યાં તપાસ એજન્સીના અધિકારીઓને સંબોધિત કરી રહ્યાં હતા એ સમયે ઉક્ત વાત કહી હતી.
પ્રણવ મુખરજીએ અધિકારીઓને સંબોધિત કરતી વખતે કહ્યું છે કે, ભ્રષ્ટાચાર આપણા દેસના લોકતાંત્રિક તાણા-બાણા માટે એક મોટો ખતરો છે અને શાસનનો અભાવ સમાજમાં વ્યાપ્ત અક્ષમતાઓની ઝડ છે. પ્રણવ મુખરજીએ કહ્યું કે એક સજાગ પોલીસ અને તપાસ એજન્સી એ સુનિશ્ચિત કરી શકે છે કે કોઇ પણ ગુન્હો આચરનાર દંડિત થવાની ના બચે.












Click it and Unblock the Notifications
