For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચાર લોકતંત્ર માટે ખતરોઃ રાષ્ટ્રપતિ

By Super
|
Google Oneindia Gujarati News

pranab-mukharjee
નવી દિલ્હી, 6 એપ્રિલઃ ભ્રષ્ટાચારને લઇને દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગંભીરતા દર્શાવી છે. રાષ્ટ્રપતિએ શનિવારે નવી દિલ્હી ખાતે કહ્યું કે, દેશમાં પ્રવર્તી રહેલો ભ્રષ્ટાચાર દેશના લોકતંત્ર માટે એક ખતરા સમાન છે. તેમણે કહ્યું કે ખરાબ ગવર્નન્સની જડ, આપણી બદલાવ પ્રત્યેની સુસ્તી સાથે જોડાયેલી છે.

તેમણે કહ્યું કે, સારું શાસન, આપણું અડગ લક્ષ્ય હોવું જોઇએ, આપણે કાયદાના શાસનના ક્રિયાન્વયનમાં સુધારા લાવવા જોઇએ અને એક સહમતિ ભર્યો દૃષ્ટિકોણ અપનાવવો જોઇએ.

રાષ્ટ્રપતિ, કેન્દ્રીય તપાસ એજન્સી(સીબીઆઇ)ની સ્વર્ણ જંયતિના ભાગરૂપે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને ત્યાં તપાસ એજન્સીના અધિકારીઓને સંબોધિત કરી રહ્યાં હતા એ સમયે ઉક્ત વાત કહી હતી.

પ્રણવ મુખરજીએ અધિકારીઓને સંબોધિત કરતી વખતે કહ્યું છે કે, ભ્રષ્ટાચાર આપણા દેસના લોકતાંત્રિક તાણા-બાણા માટે એક મોટો ખતરો છે અને શાસનનો અભાવ સમાજમાં વ્યાપ્ત અક્ષમતાઓની ઝડ છે. પ્રણવ મુખરજીએ કહ્યું કે એક સજાગ પોલીસ અને તપાસ એજન્સી એ સુનિશ્ચિત કરી શકે છે કે કોઇ પણ ગુન્હો આચરનાર દંડિત થવાની ના બચે.

English summary
Corruption is a threat to the democratic fabric of India, President Pranab Mukherjee said here Saturday. Noting that the root of poor governance was our lethargy to change, the president said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X