સંત બનવા 3 વર્ષની પુત્રી,કરોડોની સંપત્તિનો ત્યાગ કરશે દંપતી
મધ્યપ્રદેશનું એક દંપતી જૈન સંત બનવા માટે તેમની 100 કરોડની સંપત્તિ અને 3 વર્ષની પુત્રીને છોડવા તૈયાર થઇ ગયું છે.
વૈભવ-વિલાસની જિંદગી જીવવા માટે આજે લોકો શું નથી કરતા? એવા જમાનામાં એક દંપતી એવું છે, જે આ સર્વે છોડી સંન્યાસ લેવા જઇ રહ્યું છે. મધ્યપ્રદેશના આ જૈન દંપતી પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ તેમની ઇચ્છા સંત બનવાની છે અને આ કારણે જ તેમણે વિશ્વના તમામ મોહનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે. આ બંનેની એક પુત્રી પણ છે.

100 કરોડની સંપત્તિના માલિક
મધ્યપ્રદેશના નીમચ શહેરના રહેવાસી સુમિત રાઠોડ અને તેમની પત્ની અનામિકાએ સંત બનવાનો નિર્ણય લીધો છે. આ બંનેના નામે નીમચમાં 100 કરોડથી વધુની સંપત્તિ છે. નીમચમાં સુમિતના પરિવારનો ઘણો મોટો વેપાર છે. સુમિતે લંડનથી બિઝનેસમાં ડિપ્લોમા કર્યું છે, તેમણે 2 વર્ષ લંડનમાં જ નોકરી કરી હતી અને ત્યાર બાદ ફેમિલી બિઝનેસ સંભાળવા ભારત આવ્યા હતા. તેમની કંપનીની વેલ્યુ 100 કરોડથી વધુ છે અને લગભગ 100 કર્મચારીઓ તેમના હાથ નીચે કામ કરે છે.
અનામિકાના પિતા પૂર્વ ભાજપ અધ્યક્ષ
અનામિકાનો પરિવાર પણ ખાસો પ્રતિષ્ઠિત છે. તેમના પિતા અશોક ચંડાલિયા ચિત્તોડગઢ, ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. અનામિકા પોતે એન્જિનિયર છે અને લગ્ન પહેલા તેઓ પણ નોકરી કરતા હતા. તે સમયે તેમનો પગાર લાખોમાં હતો. લગ્ન બાદ અનામિકાએ નોકરી છોડી દીધી હતી.
3 વર્ષની પુત્રીને છોડવા તૈયાર છે દંપતી
સુમિત અને અનામિકાની ત્રણ વર્ષની પુત્રીને પણ તેઓ છોડવા તૈયાર છે. બંનેના પરિવારજનોએ તેમને સમજાવવાના અનેક પ્રયત્નો કરી જોયા છે અને આમ છતાં બંને પોતાના નિર્ણય પર અડીખમ છે. આ દંપતીનું કહેવું છે કે, તેમને આત્મકલ્યાણનો બોધ થઇ ગયો છે અને આ જ કારણે તેમણે સંત બનવાનો નિર્ણય લીધો છે. સુમિત અને અનામિકા 23 સપ્ટેમ્બરના રોજ સુરતમાં દીક્ષા લેશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
