For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,879 નવા કેસ, 487 લોકોના થયા મોત

અનલૉક બાદથી ભારતમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

અનલૉક બાદથી ભારતમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે હવે રોજના 23-24 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા સાડા સાત લાખથી વધુ થઈ ગઈ છે. કોરોનાના કેસ વધવાનુ કારણ ટેસ્ટિંગનુ વધવુ પણ માનવામાં આવી રહ્યુ છે.

સક્રિય કેસની સંખ્યા 2,69,789

સક્રિય કેસની સંખ્યા 2,69,789

આરોગ્ય મંત્રાલય તરફથી જારી આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 24879 કેસ સામે આવ્યા છે સાથે જ 487 લોકોના મોત થયા છે. આ સાથે જ હવે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7,67,296 થઈ ગઈ છે. જેમાંથી 4,76,378 દર્દી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે 21,129 લોકોના મોત થયા છે. આ કારણે હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,69,789 છે.

ટેસ્ટિંગ પણ વધ્યુ

ટેસ્ટિંગ પણ વધ્યુ

માર્ચમાં કોરોના વાયરસ જ્યારથી શરૂ થયુ ત્યારથી ટેસ્ટિંગની સંખ્યા વિશે સતત સવાલ ઉઠી રહ્યા હતા. આ દરમિયાન 15 હજાર ટેસ્ટ રોજના આખા દેશમાં થતા હતા. હવે ત્રણ મહિના બાદ ટેસ્ટિંગ માટે દેશમાં મોટો સુધારો થયો છે. જેના કારણે બુધવારે 2,67,061 સેમ્પલની તપાસ થઈ. આ સાથે જ 8 જુલાઈ સુધી દેશમાં 1.07,40,832 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.

શું છે દુનિયાના હાલ?

શું છે દુનિયાના હાલ?

વળી, આખી દુનિયામાં અત્યાર સુધી 1,21,70,570 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે જેમાં 552,112 લોકોના મોત થયા છે જ્યારે 7,069,283 લોકો રિકવર થઈ ચૂક્યા છે. આ કારણથી હવે સક્રિય કેસોની સંખ્યા 45,49,175 ની આસપાસ જ છે. વર્તમાન સમયમાં અમેરિકા કોરોનાનુ કેન્દ્ર બનેલુ છે જ્યાં 31 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

કંગનાનો પૂજા ભટ્ટને સવાલઃ યાદ છે જ્યારે મહેશ ભટ્ટે મારા પર ચંપલ ફેંક્યુ હતુ?કંગનાનો પૂજા ભટ્ટને સવાલઃ યાદ છે જ્યારે મહેશ ભટ્ટે મારા પર ચંપલ ફેંક્યુ હતુ?

English summary
COVID-19 new 24879 cases and 487 deaths in the last 24 hours in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X