covid19 : નવા વેરિએન્ટથી બચવા વૈજ્ઞાનિકોએ અપનાવી સૌથી અસરકારક રીત, તમે પણ કરી લો આ કામ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તમામ દેશોએ વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે. આવું કરવાથી વધુને વધુ લોકોને સુરક્ષિત કરી શકાય છે.
covid19 : ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના કાળો કહેર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોના સંક્રમણની સાથે સાથે મૃત્યુ દર પણ વધ્યો છે, જેના કારણે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થયો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જે બીએફ.7 વેરિએન્ટના કારણે ચીનમાં કોહરામ મચી રહ્યો છે, તે હળવા લક્ષણોવાળું વેરિએન્ટ છે.
આ સાથે ચીનમાં આપવામાં આવેલી વેક્સિનની અસરકારકતા પણ ઓછી છે. જીરો કોવિડ પોલીસીને કારણે હર્ડ ઇમ્યુનિટી પણ બની શકી નથી. જે કારણે ચીનમાં કોરોના વિસ્ફોટ થયો છે.
વર્તમાન અહેવાલો અનુસાર, કોરોના XBB.1.5ના નવા પ્રકારને કારણે યુ.એસ.માં સંક્રમણ અને ગંભીર રોગના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ આ પ્રકારને કારણે સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. સંશોધકોએ તમામ દેશોને સંક્રમણના વધતા જોખમને ટાળવા માટે બૂસ્ટર ડોઝના રેટને ઝડપી બનાવવા અપીલ કરી છે.
કોવિડ-19ના બીજા બૂસ્ટર ડોઝની જરૂર
યુનિવર્સિટી ઓફ વર્જિનિયા સ્કૂલ ઓફ મેડિસિનના તાજેતરના સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ માટે બૂસ્ટર ડોઝના ફાયદાઓનીચર્ચા કરી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તમામ દેશોએ વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે. આવું કરવાથી વધુને વધુ લોકોને સુરક્ષિત કરી શકાય છે.
કોરોના સંક્રમણના વધતા વૈશ્વિક ખતરાની ચેઇનને તોડવા અને શક્ય તેટલા લોકોને બચાવવા માટે આ ક્ષણે સૌથી અસરકારક રીત હોય શકે છે.
બૂસ્ટર ડોઝથી અટકાવી શકાય છે સંક્રમણ
સંશોધકોએ ફાઈઝર અને મોડર્નાની mRNA રસીઓનો અભ્યાસ કર્યો કે, રસીની બૂસ્ટર ડોઝ કેટલી અસરકારક હોય શકે છે. વૈજ્ઞાનિકજર્નલ એનલ્સ ઓફ એલર્જી, અસ્થમા એન્ડ ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, રસીના બૂસ્ટર ડોઝ આપીને લોકોમાં વધુ ટકાઉઅને અસરકારક એન્ટિબોડીઝને પ્રોત્સાહન આપી શકાય છે, જે સંક્રમણ સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
બૂસ્ટર ડોઝના અસરકારક પરિણામો એવા લોકોમાં પણ જોવા મળ્યા છે, જેઓ વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયા છે. વૈજ્ઞાનિકો માનવું છે કે, બૂસ્ટર ડોઝમાંથી બનાવેલા એન્ટિબોડીઝ નવા પ્રકારોના જોખમ સામે રક્ષણ આપવા માટે અસરકારક છે.
શું કહે છે અભ્યાસ
બૂસ્ટર ડોઝની અસરોનું મૂલ્યાંકન કરવા માટે, સંશોધકોની ટીમે 117 લોકોમાં રસીકરણ કર્યા બાદ એન્ટિબોડીના સ્તરને ટ્રેક કરવામાં આવ્યું હતું. આ લોકોની સરખામણી એવા લોકો સાથે કરવામાં આવી હતી, જેમણે રસીના પ્રાથમિક બે ડોઝ લીધા હતા.
સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, બંને જૂથોમાં એક અઠવાડિયાથી 31 દિવસ સુધી એન્ટિબોડીઝના સમાન સ્તર હતા, પરંતુ તે પછી બૂસ્ટર ડોઝ દ્વારા ઉત્પાદિત એન્ટિબોડીઝપ્રાથમિક રસીકરણ જૂથ કરતાં વધુ અસરકારક હોવાનું જણાયું હતું. આ સાથે સંશોધકોએ પણ શોધી કાઢ્યું હતું કે, આ રીતે બૂસ્ટર શોટ લેવાથી લોકો કોરોનાના જોખમથી વધુ સુરક્ષિત રહી શકે છે.
બૂસ્ટર ડોઝમાંથી એન્ટિબોડીઝ વધુ અસરકારક
યુનિવર્સિટીના ઇમ્યુનોલોજી વિભાગના મુખ્ય સંશોધક અને પ્રોફેસર, જેફરી વિલ્સન જણાવે છે કે, આ સંશોધનના પરિણામો સૂચવે છે કે, બૂસ્ટર શોટ્સ રસી દ્વારા ઉત્પાદિત એન્ટિબોડીઝની ટકાઉપણું વધારી શકે છે.
Moderna ની રસીમાંથી બનાવેલા એન્ટિબોડીઝ Pfizer ની રસી કરતા લાંબો સમય ટકી રહ્યા હોવાનું સાબિત થયું છે.
અભ્યાસ સમયગાળાના અંતે, મોડર્નાનું એન્ટિબોડી સ્તર પાંચ મહિનામાં ફાઈઝરના સ્તર કરતાં વધુ અસરકારક હોવાનું જણાયું હતું.
સંશોધકો કહે છે કે, વ્યક્તિગત રસીના બૂસ્ટર શોટ અન્ય અભ્યાસોમાં પણ વધુ રક્ષણાત્મક હોવાનું જણાયું છે.
Corbevax નો બૂસ્ટર ડોઝ Omicron પર અસરકારક
આંકડા અનુસાર, ભારતમાં રસીકરણ અને બૂસ્ટર ડોઝનો દર સારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકોને સ્વદેશી કોવેક્સિન અથવા કોવિશિલ્ડ રસી મળી છે.
તાજેતરના એક અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, જે લોકોને કોવિશિલ્ડની પ્રાથમિક રસીઓ સાથે રસી આપવામાં આવી છે, તેઓને ઓમિક્રોન વેરિઅન્ટ સામે મહત્તમ રક્ષણ મળી શકે છે, જો તેઓને કોર્બેવેક્સનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે.
આવા લોકોમાં મેમરી ટી-સેલ્સ અને રોગપ્રતિકારક કોષો વધુ અસરકારક હોવાનું જણાયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓમિક્રોનના વધતાવૈશ્વિક જોખમ વચ્ચે આ પદ્ધતિ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.