CWC મીટિંગ: મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ રાહુલને અધ્યક્ષ બનવા વિનંતી કરી, મળ્યો આ જવાબ
બે દિવસ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણીની માંગ પણ ઉભી થઇ હતી. તે સમય દરમિયાન સોનિયા ગાંધીએ G-23 ના નારાજ નેતાઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને જ સંપૂર્ણ સમયના પ્રમુખ માને.
બે દિવસ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણીની માંગ પણ ઉભી થઇ હતી. તે સમય દરમિયાન સોનિયા ગાંધીએ G-23 ના નારાજ નેતાઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને જ સંપૂર્ણ સમયના પ્રમુખ માને. જોકે, ઘણા નેતાઓ રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવાની માંગ કરી રહ્યા છે. કેટલાક નેતાઓએ આ માટે રાહુલને વિનંતી કરી હતી, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે.

ખડગેના જણાવ્યા અનુસાર CWC બેઠકમાં બધાએ સંમતિ આપી અને રાહુલ ગાંધીને તાત્કાલિક કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ બનવા વિનંતી કરી હતી. જેના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ આ વિશે વિચારશે, તેમજ તે પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખશે. ખડગેએ વધુમાં જણાવ્યું કે, બેઠકમાં અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, કૃષિ કાયદો, લખીમપુર ખેરી ઘટના, જમ્મુ -કાશ્મીરની સ્થિતિ, અર્થતંત્ર અને ઠરાવો પસાર કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
સોનિયાજી એ કહી આ વાતો
કોંગ્રેસનું G-23 જૂથ એક વર્ષથી હાઈકમાન્ડથી નારાજ છે. જેમાં કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. તેમની માંગ નવા પ્રમુખ સહિત પક્ષમાં સુધારા લાગુ કરવાની છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે જો તમે મને આ કહેવાની પરવાનગી આપો તો હું કહીશ કે હું કોંગ્રેસનો પૂર્ણ સમયની અધ્યક્ષ છું. મારે મીડિયામાં આ વિશે વાત કરવાની જરૂર નથી. તે જ સમયે મને લાગે છે કે મારા સુધી પહોંચવા માટે કોઈએ મીડિયાની જરૂર ન હોવી જોઈએ, મારી સાથે સીધી વાત થઈ શકે છે. તેમણે કહ્યું કે પાર્ટીમાં સંગઠનની ચૂંટણીઓ પર પણ કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
