2047 સુધી સિંગાપુરના પ્રત્યેક વ્યક્તિની આવક સમાન દિલ્લીવાસીઓની આવકનો ટાર્ગેટ: મનીષ સિસોદિયા
દિલ્લી સરકારે આજે નાણાકીય વર્ષ 2021-21 માટે દેશભક્તિ પર આધારિત 69,000 કરોડ રૂપિયાનુ બજેટ રજૂ કર્યુ.
નવી દિલ્લીઃ દિલ્લી સરકારે આજે નાણાકીય વર્ષ 2021-21 માટે દેશભક્તિ પર આધારિત 69,000 કરોડ રૂપિયાનુ બજેટ રજૂ કર્યુ. બજેટ રજૂ કરતી વખતે ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે આમ આદમી પાર્ટી(આપ) સરકારે દેશનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે અને 12 માર્ચથી શરૂ થનાર 75 સપ્તાહના કાર્યક્રમ આયોજિત કરશે.
વળી, આ દરમિયાન નાણામંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્લીવાસીઓના જીવન સ્તર અને તેમના વ્યક્તિ દીઠ આવક વધારવા માટે પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે AAP સરકાર 2047 સુધી દિલ્લીની વ્યક્તિ દીઠ આવકને સિંગાપુરના સ્તર સુધી વધારવાનો ઈરાદો ધરાવે છે.
સાથે જ તેમણે જણાવ્યુ કે હું 2021-22 માટે દિલ્લીના આરોગ્ય ક્ષેત્ર માટે 9,934 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરુ છુ જે કુલ બજેટના 14% છે. દિલ્લી સરકારે નિર્ણય લીધો છે કે દિલ્લીના લોકોને સરકારી હોસ્પિટલોમાં કોરોના વેક્સીન મફતમાં મૂકવામાં આવશે.
દિલ્લી સહિત આ રાજ્યોના હવામાનમાં ફરીથી દેખાશે ફેરફાર