જયરામ ઠાકુર પર અરવિંદ કેજરીવાલનો પલટવાર, કહ્યુ - હિમાચલને પણ મળશે 'ઈમાનદાર સરકાર'
આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે હિમાચલના સીએમ જયરામ ઠાકુર પર પલટવાર કર્યો છે.
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે હિમાચલના સીએમ જયરામ ઠાકુર પર પલટવાર કર્યો છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લી મૉડલનો અર્થ એક ઈમાનદાર સરકાર છે અને હિમાચલ પ્રદેશને પણ એક ઈમાનદાર સરકાર જલ્દી મળવાની છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલનુ આ નિવદેન જયરામ ઠાકુરની એ ટિપ્પણીના જવાબમાં આવ્યુ છે જેમાં તેમણે કહ્યુ હતુ કે દિલ્લીનુ મૉડલ હિમાચલમાં સ્વીકાર્ય નથી.

અરવિંદ કેજરીવાલે જયરામના નિવેદનને આડા હાથે લઈને કહ્યુ કે, 'દિલ્લી મૉડલનો અર્થ ઈમાનદાર સરકાર છે. જયરામજી કહે છે કે હિમાચલ પ્રદેશમાં એક ઈમાનદાર સરકાર ન હોઈ શકે કારણકે હિમાચલની સામાજિક અને રાજકીય સ્થિતિઓ અલગ છે? સવાલ પરિસ્થિતિઓનો નથી પરંતુ ઈરાદાનો છે. પંજાબ અને દિલ્લીની જેમ હવે 'આપ' હિમાચલ પ્રદેશમાં પણ ઈમાનદાર સરકાર આપશે.'
આ પહેલા સીએમ ઠાકુરે કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલ માત્ર પોતાની પાર્ટીને જીતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રવાસ ચૂંટણી સુધી ચાલુ રહેશે પરંતુ દિલ્લીના મૉડલ સાથે હિમાચલ પ્રદેશની તુલના સ્વીકાર્ય નથી. અહીં સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ અલગ છે. ઠાકુરે આગળ કહ્યુ, 'હિમાચલની જનતાએ ક્યારેય કોઈ ત્રીજા પક્ષને સ્થાન કે સમ્માન નથી આપ્યુ. માટે ભાજપ નિશ્ચિત રીતે હિમાચલ પ્રદેશમાં સત્તામાં આવશે.' તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ શનિવાર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરશે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી જોઈ બધા પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. આ કડીમાં કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કાંગડાનો પ્રવાસ કર્યો હતો. તેમણે આ દરમિયાન નગરોટા બગવામાં રોડ શો તેમજ જનસબા પણ કરી અને ભાજપની ડબલ એન્જિન સરકારના કામોને ગણાવ્યા. તેમણે કહ્યુ કે રાજ્યમાં ફરીથી જો ભાજપ આવે તો બાગવાનની જેમ હિમાચલ ખીલી જશે. નડ્ડાએ જયરામ ઠાકુરની પણ પ્રશંસા કરી અને કહ્યુ કે આ સરકાર જવાબદેહ સરકાર છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
