દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને કહ્યુ કે અમને આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેપારીઓના ભલા માટે તેમના સૂચનો બજેટમાં સામેલ કરવામાં આવશે.
દિલ્લી સરકારના જણાવ્યા મુજબ ટેક્સટાઇલ, પેપર, ઑટો-મોબાઇલ, ફર્નિચર, લાકડા, અનાજ, દવાઓ, બેકરી, ડ્રાય-ફ્રુટ્સ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા 15થી વધુ બજાર સંગઠનોના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં દિલ્લીના પરિવહન અને મહેસૂલ મંત્રી કૈલાશ ગેહલોત અને ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ બ્રિજેશ ગોયલ પણ હાજર હતા. વેપારીઓની માંગને ધ્યાનમાં લેતા, ઉપ મુખ્યમંત્રીએ અધિકારીઓને જીટી કરનાલ રોડની આસપાસ બાંધવામાં આવેલા ગોડાઉન માટે વધુ સારુ રોડ નેટવર્ક સ્થાપિત કરવા માટે સર્વે હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.

આ પ્રસંગે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે આમ આદમી પાર્ટી સરકારમાં આવી ત્યારથી તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને દિલ્લીનુ બજેટ બનાવવાની અમારી પ્રાથમિકતા રહી છે. આ દિશામાં બજેટની તૈયારી દરમિયાન સરકાર દર વર્ષે દિલ્લીના વિવિધ બજારોના પ્રતિનિધિઓ સાથે તેમની અપેક્ષાઓ જાણવા માટે બેઠક કરે છે અને તેમને બજેટમાં સામેલ કરવાનો પ્રયાસ કરે છે. જેથી માર્કેટ સુધરી શકે અને વેપારીઓનો વેપાર વધી શકે.
ઉપ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે આ વર્ષે પણ દિલ્લી સરકાર બજેટ પહેલા વેપારીઓ સાથે ચર્ચા કરીને તેમની માંગણીઓ અને અપેક્ષાઓને સમજી રહી છે. જેથી તે અંગે બજેટમાં જોગવાઈ કરી શકાય. દિલ્લીના બજારો શહેરની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને તેમની સુધારણા માટે કામ કરવુ એ સરકારની પ્રાથમિકતા છે. શહેરમાં વ્યાપ્ત બજારો લાખોની સંખ્યામાં રોજગારીનુ સર્જન કરે છે અને મોટી રકમની આવક ઉભી કરે છે. આ સ્થિતિમાં, સરકારની જવાબદારી છે કે તે આ બજારોની માંગ અને જરૂરિયાતોને સમજે અને અહીં સુવિધાઓ વિકસાવે. જેના કારણે આ બજારો તરફ લોકોનુ આકર્ષણ વધશે અને વેપારીઓનો ધંધો પણ વધશે.
બેઠકમાં હાજર રહેલા ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ બ્રિજેશ ગોયલ અને પ્રમુખ સુભાષ ખંડેલવાલે જણાવ્યુ હતુ કે દિલ્લીમાં એક અનોખી પરંપરાને અનુસરીને દિલ્લી સરકાર હંમેશા દિલ્લીના ઉદ્યોગપતિઓની સલાહ લઈને જ બજેટ તૈયાર કરે છે, જેથી ગ્રાઉન્ડ ફ્લોર બજારોની સમસ્યાઓનો બજેટમાં સમાવેશ કરી શકાય છે. આ દિશામાં રવિવારે મળેલી બેઠક પણ ઘણી સકારાત્મક રહી છે. નાણામંત્રી મનીષ સિસોદિયાએ તમામ ક્ષેત્રોના વેપારીઓની માંગણીઓને ધ્યાનથી સાંભળીને તેમને બજેટમાં સામેલ કરવા કહ્યુ છે. તેમણે કહ્યુ કે અમને આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેપારીઓના ભલા માટે તેમના સૂચનો બજેટમાં સામેલ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
