
દિલ્હી સરકારની તીર્થયાત્રા યોજના સફળ રહી, મહિલાઓ સૌથી વધુ યાત્રા કરી રહી છે!
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી : તીર્થસ્થાનોની મુલાકાત લેનારા વૃદ્ધોમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. કોવિડને કારણે તીર્થયાત્રાની યોજના 23 મહિનાથી અટકી પડી હતી અને ગયા વર્ષે 3 ડિસેમ્બર 2021થી ફરી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 8 ટ્રેનો અલગ-અલગ યાત્રાધામો માટે રવાના થઈ છે. આ આઠ ટ્રેનો દ્વારા તીર્થસ્થળોની યાત્રા કરનારાઓમાં મહિલાઓની સંખ્યા 68.76 ટકા છે.
8માંથી 7 ટ્રેનમાં લગભગ એક હજાર લોકોએ મુસાફરી કરી હતી અને એક ટ્રેનમાં 958 લોકો ગયા હતા. આ રીતે, આ આઠ ટ્રેનોમાં લગભગ 7958 લોકોએ મુસાફરી કરી, જેમાંથી મહિલાઓની સંખ્યા 68 ટકા એટલે કે 5472 છે.
પુરૂષોની સંખ્યા 2486 (31 ટકા) છે. સમિતિના અધ્યક્ષ કમલ બંસલનું કહેવું છે કે જ્યારે તીર્થયાત્રા ફરી શરૂ થઈ ત્યારે પ્રથમ બે ટ્રેનોને અયોધ્યા તીર્થસ્થળ મોકલવામાં આવી હતી. તીર્થયાત્રા યોજના માટે દિલ્હી સરકાર પાસે મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. સરકાર દ્વારા 7 માર્ચ સુધી ટ્રેનોનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલીક વધુ ટ્રેનોના સમયપત્રક પર પણ વિચાર કરવામાં આવી રહ્યી છે. હવે ટ્રેન 28 ફેબ્રુઆરીએ રામેશ્વરમ માટે રવાના થશે. દ્વારકાધીશ, રામેશ્વરમ, જગન્નાથ પુરી સહિત અનેક સ્થળો માટે પ્રવાસ યોજનામાં મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે.
28 ફેબ્રુઆરી પછી ટ્રેન 1 માર્ચે જગન્નાથ પુરી અને 7 માર્ચે દ્વારકાધીશ માટે રવાના થશે. યાત્રાધામ યોજના માટે રેલવે તરફથી ત્રણ ટ્રેનો મળી છે. તીર્થયાત્રા વિકાસ સમિતિ રેલવે તરફથી ઓછામાં ઓછી 5 ટ્રેનો મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કરીને વધુમાં વધુ વૃદ્ધોને યાત્રાધામો પર મોકલી શકાય. રામેશ્વરમ, દ્વારકાધીશ, જગન્નાથપુરીમાં મુસાફરો તરફથી સૌથી વધુ અરજીઓ મળી રહી છે અને પેન્ડીંગ અરજીઓની સંખ્યાને જોતા આ તમામ યાત્રાધામો માટે ટ્રેનો રવાના કરવામાં આવી રહી છે.