Delhi Mayor Election: પ્રિસાઈડિંગ ઑફિસરને લઈને AAPએ દર્શાવ્યો વાંધો, CM કેજરીવાલે એલજીને લખ્યો પત્ર
આજે દિલ્લીમાં મેયર પદ માટે ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન સીએમ કેજરીવાલે પ્રિસાઈડિંગ ઑફિસરની નિયુક્તિને લઈને વાંધો દર્શાવ્યો છે.
Delhi Mayor Election: દિલ્લીમાં આજે મેયર, ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીના એક દિવસ પહેલા શુક્રવારે ઉપરાજ્યપાલે ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને પ્રોસાઈડિંગ ઑફિસર નિયુક્ત કરી દીધા. આ ઉપરાંત તેમને પ્રોટેમ સ્પીકર પણ બનાવવામાં આવ્યા કે જેઓ કોર્પોરેટરોને શપથ લેવડાવશે. આનાથી આમ આદમી પાર્ટી નારાજ છે. તેણે ભાજપ અને ઉપરાજ્યપાલ પર લોકતાંત્રિક પરંપરાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો.

એલજી સચિવાલયમાંથી જાહેર કરાયેલી સૂચના મુજબ કાયદાની કલમ 77 હેઠળ દિલ્લીના ઉપરાજ્યપાલે સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે બેઠકની અધ્યક્ષતા માટે નામાંકિત કર્યા છે. એક્ટની કલમ 32 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવશે. ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલીનીકરણ પહેલા સત્ય શર્મા પૂર્વ દિલ્લીના મેયર હતા.
આ નોટિફિકેશન જાહેર થતા જ આમ આદમી પાર્ટીએ ભાજપ અને ઉપરાજ્યપાલ પર વળતો પ્રહાર કર્યો હતો. આપ નેતાઓએ કહ્યુ કે ઉપરાજ્યપાલે ગેરકાયદેસર અને ગેરબંધારણીય નિર્ણય લીધો છે. તેઓએ લોકો દ્વારા ચૂંટાયેલી દિલ્લીની સરકારને બાજુ પર મૂકી દીધી. આ દરમિયાન, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ એલજીને પત્ર લખીને મેયરની ચૂંટણી પહેલા નામાંકન પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
કેજરીવાલે કહ્યુ છે કે આવી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. આ બંધારણ સાથે છેતરપિંડી કરવા જેવુ છે. આવી સ્થિતિમાં ઉપરાજ્યપાલે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ અને તેને પાછો ખેંચી લેવો જોઈએ. બીજી તરફ, ગુરુવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ એમસીડી કમિશનરને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ગેરકાયદેસર ઉમેદવારોના શપથ ગ્રહણને લઈને આગળ કોઈ કાર્યવાહી કરવાથી રોકવાનો નિર્દેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
