પ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાની
પ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાની
નવી દિલ્હીઃ પ્રદૂષણનો શિકાર બનેલ દિલ્હીને આજે પણ રાહત મળી નથી, આજે પણ અહીં ધૂળ, ધુમાડો અને ઝાકળે લોકોને પરેશાન કર્યા છે અને સૌથી પરેશાનીની વાત તો એ છે કે દિલ્હી-એનસીઆરના લોકોને આગામી દિવસોમાં પણ રાહત નહિ મળે. શુક્રવારે સવારે દલિ્હીના લોધી રોડ વિસ્તારમાં PM 25 અને PM 10 બંને 500ને વટાવી ચૂક્યા છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે અને આજે પણ રાજધાની ધુમાડાની ચાતરમાં ઢંકાયેલ છે, રાજધાનીમાં પ્રદૂષણના ખરાબ હાલ જોતા સુપ્રીમ કોર્ટે ગઠિત કરેલ પેનલ EPCAએ દિલ્હી-એનસીઆરમાં આજે પણ સ્કૂલો બંધ રાખવા આદેશ આપ્યા છે.
દિલ્હી હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી
વધતા પ્રદૂષણ પર દિલ્હી હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. ગુરુવારે વાયુ પ્રદૂષણ પર એક જનહિત અરજી પર સુનાવણી રતા ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે પ્રદૂષણથી મુક્તિમામ દેશમાં નાગરિકોએ પણ સક્રિય ભૂમિકા નિભાવવાની જરૂરત છે, પ્રદૂષણ ઘટાડવા માટે લોકોમાં ઈચ્છાશક્તિની કમી છે.
|
EPCA
પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ અને રોકથામ પ્રાધિકરણે દિલ્હી-એનસીઆરમાં 15 નવેમ્બર સુધી હૉટ મિક્સ પ્લાન્ટ અને સ્ટોન ક્રશરના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. દિલ્હીની ઝેરીલી હવાની અસર આજુબાજુના વિસ્તારોમાં પણ પડી છે તેથી ફરીદાબાદ, ગુડગાંવ, ગાઝિયાબાદ, નોઈડા, બહાદુરગઢ, ભિવાડી, ગ્રેટર નોઈડા, સોનીપત અને પાનીપતમાં કોલસા તથા અન્ય ઈંધણ આધારિત ઉત્યોગો પણ 15 નવેમ્બર સુધી બંધ ચે.
આપાત સ્તર પર પ્રદૂષણ
જણાવી દઈએ કે ખેડૂતોએ પરાલી સળગાવી હોવાના કારણે દિલ્હીની હવા વધુ ઝેરીલી બની ગઈ છે, ઉલ્લેખનીય છે કે રાષટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ 'આપાત સ્તર'ની નજીક પહોંચવાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જરૂરત હોવા પર સમ-વિષય યોજનાઓ આગળ વધારી શકે છે. સમ-વિષમ યોજના ચાર નવેમ્બરે શરૂ થઈ હતી અને 15 નવેમ્બરે ખતમ થાય તેવી સંભાવના છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા