દિલ્હીની સાકેત કોર્ટે શરજીલ ઇમામને નિર્દોષ જાહેર કર્યો, જામિયા હિંસામાં કાવતરૂ ઘડવાનો હતો આરોપ
દિલ્હીની સાકેત કોર્ટે શરજીલ ઈમામને વર્ષ 2019માં નોંધાયેલા જામિયા હિંસા કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ હિંસા CAA કાયદાના વિરોધમાં થઈ હતી અને આ કેસમાં દિલ્હી પોલીસે શરજીલ ઈમામ પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
શરજીલ ઈમામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શરજીલ ઈમામને વર્ષ 2019માં નોંધાયેલા જામિયા હિંસા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે જામિયામાં આ હિંસા CAA કાયદાના વિરોધમાં થઈ હતી. દિલ્હી પોલીસે શરજીલ ઈમામ પર ભડકાઉ ભાષણ આપવા અને હિંસા ભડકાવવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે તેને ભલે આ કેસમાં નિર્દોષ જાહેર કરી દીધો હોય, પરંતુ તેમ છતાં અન્ય ઘણા કેસોને કારણે તેને જેલમાં જ રહેવું પડશે.
સમાચાર AJC ANIના સમાચાર અનુસાર, વર્ષ 2019માં નોંધાયેલી જામિયા હિંસાના મામલામાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ અરુલ વર્માની કોર્ટમાં સુનાવણી થઈ. અરુલ વર્માએ બંને પક્ષોને સાંભળ્યા બાદ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજે રાહત આપતાં શરજીલ ઈમામ અને આસિફ ઈકબાલ તન્હાને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પહેલા પણ આ કેસમાં શરજીલ અને આસિફ ઇબલ તન્હા બંનેને જામીન મળી ચૂક્યા છે. જોકે, શારજલ ઇમામ સામે ચાલી રહેલા અન્ય કેસોને કારણે તેને જેલમાં જ રહેવું પડશે. શરજીલ ઇમામ બિહારના જહાનાબાદ જિલ્લાનો છે અને 2019માં જામિયા હિંસા દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. શરજીલ ઈમામે IIT બોમ્બેમાંથી B.Tech અને M.Tech કર્યું છે. જ્યારે, 2013માં શર્જીલે જેએનયુમાં આધુનિક ઇતિહાસમાં પીજી ડિગ્રી પૂર્ણ કરી હતી.