અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન, દિલ્હી હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ
અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન, દિલ્હી હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ
કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાકદિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરેડનું આયોજન કર્યું હતું, જેમાં હિંસાની ઘટના ઘટી હતી. ટ્રૅક્ટર રેલી દરમિયાન ખેડૂતોનાં કેટલાંક ટોળાં રાજધાનીમાં પ્રવેશ્યાં હતાં અને તેને પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે કેટલીય જગ્યાએ ઘર્ષણ સર્જાયું હતું.
ટ્રૅક્ટર પરેડ દરમિયાન દિલ્હીની અલગઅલગ સરહદ પરથી જે પ્રકારની હિંસાની તસવીરો આવી એ ગત 60 દિવસથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનથી એકદમ વિપરીત હતી.
આ ઘટનાને લઈને આવી રહેલી અલગઅલગ પ્રતિક્રિયાઓ વચ્ચે અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.
એએનઆઈના જણાવ્યા અનુસાર વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર યોજવામાં આવેલા આ પ્રદર્શનમાં ખાલિસ્તાન સમર્થકોએ કૃષિકાયદાઓનો વિરોધ કર્યો હતો.
https://twitter.com/ANI/status/1354229798306869250
ખેડૂત સંગઠન દ્વારા રેલી સમાપનની જાહેરાત

મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ટ્રૅક્ટર પરેડના સમાપનનું એલાન કરાયું હતું.
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જારી કરીને ગણતંત્રદિવસના અવસરે આયોજિત પરેડને તાત્કાલિક પ્રભાવથી ખતમ કરવાનું એલાન કર્યું હતું.
સમાચાર એજન્સી ANI મુજબ મોરચાએ પરેડમાં સામેલ થનારા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ બધા પરત ફરે. સંયુક્ત મોરચાએ એ પણ જણાવ્યું કે આંદોલન જારી રહેશે.
બીજી તરફ 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ખેડૂતોની ટ્ર્રૅક્ટર પરેડમાં ઠેર ઠેર હિંસાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેને પગલે હરિયાણામાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવાયું હતું.
બીજી તરફ દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર આલોક કુમારે ખેડૂતોની રેલી દરમિયાન પોલીસકર્મી સાથે હિંસા આચરનાર લોકો પર કડકર કાર્યવાહી કરવાની વાત કરી હતી.
દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે પણ રેલી દરમિયાન થયેલી હિંસા માટે ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ તેમણે માહિતી આપી હતી કે આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
https://twitter.com/ANI/status/1354045441906642944


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
