બાબા રામદેવે ડેન્ગ્યૂથી બચવા માટે આપ્યા નુસખા
દિલ્હી હોય કે ગુજરાત ડેન્ગ્યૂનો કહેર ભારતભરમાં એક મહામારીની રીતે ફેલાયો છે. વળી આ જ કારણે અનેક લોકોની મૃત્યુ પણ થઇ રહી છે. જેના કારણે લોકોમાં આ બિમારીને લઇને ભય વધી રહ્યો છે. અને તમામ લોકો તેનાથી બચાવા માટેના તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે.
એટલું જ નહીં દિલ્હી તો એવા હાલ છે કે હોસ્પિટલમાં દર્દી માટે હવે કોઇ બેડ બાકી નથી રહ્યા તો સામે પક્ષે ગુજરાતમાં પણ રોજ રોજ છાપાંમાં કોઇને કોઇ વ્યક્તિની મોત ડેન્ગ્યૂના કારણે થઇ હોય તેવા સમાચારો છાશવારે આવે છે. ત્યારે આ તમામ સમસ્યાઓની વચ્ચે લોકોની મદદને આવ્યા છે બાબા રામદેવ. હાલમાં યોગગુરુ બાબા રામદેવે ડેન્ગ્યૂથી બચવા માટે કેટલાક રામબાણ ઇલાજો બતાવ્યા છે. તો શું છે આ રામબાણ ઇલાજો જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ડેન્ગ્યૂથી ડરો નહીં: બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવ લોકોને ડેન્ગ્યૂના કહેરથી ભયભીત ના થવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે ડેન્ગ્યૂ કોઇ તેવી બિમારી નથી કે જેનો ઉપચાર ના થશે શકે માટે છે તેનાથી ડરવાને અને હેરાન થવાની જરૂર નથી.

સાવચેતી રાખો: બાબા રામદેવ
જો કે સાથે જ રામદેવ બાબાએ જણાવ્યું કે તેનાથી ભયભીત થવા વગર ડેન્ગ્યૂ ના થાય તેની સાવચેતી તમામ લોકોએ રાખવી જોઇએ. અને પાણીનો ભરાવો કોઇ પણ જગ્યા ના થાય, મચ્છરોનો નાશ કરવાના પ્રયાસો હાથ ધરવા જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.

ધરેલુ ઉપચાર
વળી બાબા રામદેવ જણાવ્યું કે લોકોએ ધરેલું ઔષધી અને જડીબુટ્ટીનો ઉપયોગ કરીને પણ આ બિમારીથી બચાવા માટે પ્રયાસ કરવો જોઇએ.

રામદેવ બાબાના ઉપચારો
યોગગુરુ રામદેવ બાબા ડેન્ગ્યૂથી બચવા માટે ગરુચ (હાર્ટ શેપના પત્તાવાળી વેલ)ના પત્તાનો રસ પીવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે ગિલોય કે ગરુચ કહેવાતા આ છોડમાં ડેન્ગ્યૂ જેવી બિમારીથી બચાવના અનેક ગુણો રહેલા છે.

એલોવેરા રસ
સાથે બાબા રામદેવે એલોવેરા રસ અને પપૈયાના પાનના રસને પણ આ બિમારી માટે અસરદાર ગણાવ્યા છે.

દાડમના દાણા
વળી બાબા રામદેવનું માનીએ તો દાડમનો રસ પણ આ બિમારીની અક્ષીર દવા છે. જેનાથી ડેન્ગ્યૂનો ઉપચાર થઇ શકે છે.

કોઇ વૈજ્ઞાનિક આધાર નથી
જો કે બાબા રામદેવની આ આયુર્વેદિક ઔષધિઓ વૈજ્ઞાનિક રીતે કેટલી ફાયદાકારક છે તેની કોઇ અધિકૃત પૃષ્ટિ નથી.

બાબા રામદેવનું કહેવું
જો કે તેમ છતાં બાબા રામદેવનું કહેવું છે કે આ પ્રાચીન કાળમાં લખેલી જૂની આયુર્વેદિક પદ્ધતિઓથી ડેન્ગ્યૂની બિમારી સામે રક્ષણ મેળવી શકાય છે.

બાબા રામદેવ
નોંધનીય છે કે અનેક લોકોને બાબા રામદેવના આયુર્વેદિક ઉપચારો પર ખુબ જ વિશ્વાસ છે ત્યારે તમે પણ આ લેખ તમે લોકોના લાભાર્થે શેયર કરી શકો છો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
