Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મનમોહનસિંહની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, પ્રધાનમંત્રી બન્યા પછી પણ પૂરી ન કરી શક્યા

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે ગુરુવારે રાત્રે 26 ડિસેમ્બરે અવસાન થયું. મનમોહન સિંહે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. AIIMSએ જણાવ્યું કે મનમોહન સિંહનું વય-સંબંધિત રોગોને કારણે દુઃખદ અવસાન થયું.

મનમોહન સિંહ 2004 થી 2014 સુધી બે વખત ભારતના વડાપ્રધાન હતા. મનમોહન સિંહની અંગત છબી એકદમ સ્વચ્છ રહી. ભારતમાં આર્થિક સુધારાનો શ્રેય મનમોહન સિંહને જાય છે. પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મનમોહન સિંહે દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે જ્યારે મનમોહન સિંહ આપણી વચ્ચે નથી ત્યારે તેમની એક અધૂરી ઈચ્છાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો. આ ભાગ હવે પાકિસ્તાનમાં છે. મનમોહન સિંહના ગામનું નામ "ગાહ" છે, જે પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં આવે છે. 2004માં જ્યારે મનમોહનસિંહ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પાકિસ્તાનમાં આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. ગાહ ગામમાં એક સરકારી શાળા પણ છે, જેનું નામ મનમોહન સિંહના નામ પર છે. આ શાળાનું નામ 'મનમોહન સિંહ સરકારી છોકરાઓની શાળા' છે.

manmohansinghdream

સરહદ પાર કરીને અમૃતસરમાં થયા સ્થાયી

મનમોહનસિંહે પણ શરૂઆતનો અભ્યાસ આ જ શાળામાં કર્યો હોવાનું કહેવાય છે. મનમોહન સિંહે પણ દેશના વિભાજનની પીડા સહન કરી હતી અને આઝાદી પછી તેઓ પરિવાર સાથે સરહદ પાર કરીને પંજાબના અમૃતસરમાં સ્થાયી થયા હતા. મનમોહન સિંહના ક્લાસમેટ રાજા મોહમ્મદ અલી જે ગાહ ગામના રહેવાસી છે, અનુસાર તે અને મનમોહન સિંહ ચોથા ધોરણ સુધી સાથે ભણ્યા હતા.

મનમોહનસિંહના દાદાની થઈ હતી હત્યા

મનમોહન સિંહના પીએમ બન્યા બાદ રાજા મોહમ્મદ અલીએ પાકિસ્તાનની એક ચેનલને કહ્યું હતું કે આજે મનમોહન સિંહના કારણે તેમનું ગામ એક આદર્શ ગામ બની ગયું છે. મનમોહન સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજીવ શુક્લાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રમખાણોમાં મનમોહન સિંહના દાદાની હત્યા થઈ હતી.મનમોહન સિંહના હૃદય અને દિમાગ પર આની ઊંડી અસર થઈ. આ કારણોસર મનમોહન સિંહ રાવલપિંડી ગયા હતા પરંતુ તેમના ગામ ગયા ન હતા. પરંતુ મનમોહન સિંહ તેમના ગામ જઈને તેમની શાળા જોવા ઈચ્છતા હતા.

ચોથા ધોરણ સુધી કર્યો હતો અભ્યાસ

રાજીવ શુક્લાએ કહ્યું હતું કે એક વખત મનમોહન સિંહે તેમને કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનમાં તેમના ગામ જવા માગે છે. મનમોહન સિંહ ત્યાં જઈને તેમની જૂની શાળા જોવા માંગે છે, જ્યાં તેમણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. મનમોહન સિંહનું પણ ગાહ ગામમાં પૈતૃક ઘર હતું પરંતુ તે રમખાણોમાં નાશ પામ્યું હતું.

મનમોહનસિંહે લખ્યો હતો પત્ર

મનમોહનસિંહે વડાપ્રધાન રહીને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પોતાના ગામમાં વિકાસ માટે પત્ર પણ લખ્યો હતો. પરંતુ PM બન્યા પછી કે PM ન થયા પછી પણ મનમોહન સિંહ તેમના ગામ જઈ શક્યા નહિ. તેમનું સપનું અધૂરું રહ્યું. લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે આ મનમોહનની ઈચ્છા હતી જે પૂરી થઈ શકી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X