'કરાંચી સ્વીટ્સ' મામલે દેવેન્દ્ર ફડણવીસઃ એક દિવસ આખુ કરાંચી જ ભારતનો હિસ્સો હશે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના 'કરાંચી સ્વીટ્સ' મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના 'કરાંચી સ્વીટ્સ' મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે અખંડ ભારતમાં પૂરો વિશ્વાસ રાખીએ છીએ માટે એક દિવસ કરાંચી પણ હિંદુસ્તાનનો ભાગ હશે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં બાંદ્રામાં સ્થિત કરાંચી સ્વીટ્સ ઘણા દિવસોથી સમાચારોમાં છવાયુ છે કારણકે એક શિવસેના નેતાએ દુકાનના માલિકને કરાંચી નામ હટાવવા માટે ચેતવણી આપી હતી. જો કે શિવસેનાએ ખુદને આ મામલાથી અલગ કરી લીધુ હતુ. આ મામલે હવે દેવેન્દ્ર ફડણવીસે કહી દીધુ છે કે એક દિવસ કરાંચી પણ હિંદુસ્તાનનો હિસ્સો હશે.

આ મામલે શિવસેનાએ અંતર જાળવી લીધુ હતુ
શિવસેનાના નેતા નિતિન નંદગાવકરે દુકાનના માલિકને કહ્યુ હતુ કે તેમની દુકાન ભારતમાં છે નહિ કે પાકિસ્તાનમાં, માટે તેણે પોતાની દુકાનનુ નામ કરાંચીમાંથી હટાવવુ પડશે. આ મામલે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યુ હતુ કે, 'કરાંચી સ્વીટ્સ' છેલ્લા 60 વર્ષોથી મુંબઈમાં છે, માટે દુકાનનુ નામ બદલવાની વાત પાર્ટીનુ અધિકૃત સ્ટેન્ડ નથી.
ભારતનો હિસ્સો બનશે આજનુ પીઓકેઃ સંરક્ષણ મંત્રી
તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસની પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ કંઈક આવી જ વાત કરી ચૂક્યા છે. રાજનાથ સિંહે આ મહિનાની શરૂઆતમાં પીઓકેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનને ભારતનુ અભિન્ન અંગ ગણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે આવનારા સમયમાં આ હિસ્સો અમારો જ હશે.












Click it and Unblock the Notifications
