For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએસએસ અને તાલિબાન એક જેવા છે: દિગ્વિજય સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 નવેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારો માટે 'સાંત્વના યાત્રા' કરી રહ્યા છે. જેની ઉપર પણ કોંગ્રેસે પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે.

પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે મોદી અને રાષ્ટ્રી સ્વયમ સેવક સંઘ પર નિશાનો સાધતા ટ્વિટ કર્યું છે કે શું નરેન્દ્ર મોદી, સંઘના આદર્શ ગોલવલકર, દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીને દગો આપી રહ્યા છે. તેઓ સરદાર પટેલને હાઇજેક કર્યા બાદ બની શકે છે કે એવું પણ કહે કે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ સંઘના હતા અને સંઘના કારણે ભારતને આઝાદી મળી હતી.

તેમણે સંઘની તુલના તાલિબાન સાથે કરતા જણાવ્યું કે 'સંઘ હિન્દુ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. હું તાલિબાનના આ હિન્દુ વર્ઝનને ભારતમાં પગ પેસારો કરવા નહીં દઉ.'

digvijay singh
અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ બિહારમાં એ લોકોના પરિવારોને મળશે જેમના પરિવારજન બિહારમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા. તેમની આ યાત્રાને 'સાંત્વના યાત્રા' નામ આપવામાં આવ્યું છે.

આ સમયે ભાજપાની દરેક વિરોધી પાર્ટીઓ મોદી પર નિશાનો તાકી રહી છે. ગઇકાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે મોદી બિહારમાં સદભાવનાનો માહોલ ડહોળવાની કોશિશ કરવા માટે આવી રહ્યા છે. તેઓ બિહારમાં પણ રમખાણ કરાવવા માગે છે. જ્યારે જેડિયૂના એક અન્ય મંત્રીએ જણાવ્યું હતું કે મોદી જ્યાં સુધી બિહારમાં કોમવાદને પ્રોત્સાહિત નહી કરી લે ત્યાં સુધી માનશે નહીં.

English summary
Congress leader Digvijay Singh targeted Narendra Modi and RSS and tweeted that I hate all those who advocate ideology of Hate including Taliban and I won't allow the Hindu version of Taliban to succeed in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X