તમિલનાડુમાં જ્યારે બે લોકોના ઝગડામાં ત્રીજો ફાવી ગયો..
120 ધારસભ્યોની હાજરીમાં થયેલી બેઠકમાં પન્નીરસેલ્વમને પાર્ટીમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ શશિકલાની જગ્યાએ પલાનીસામીને ધારાસભ્યોના દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટ તરફથી શશિકલા ને જેલની સજા આપવામાં આવ્યા બાદ તમિલનાડુના રાજકારણમાં વધુ એક નાટકીય વળાંક આવ્યો છે. એઆઇએડીએમકે ની બેઠકમાં શશિકલાના દળે ઓ.પન્નીરસેલ્વમ ને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને ઇ.પલાનીસામીને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે.

બેઠકમાં હાજર હતા 120 ધારાસભ્યો
સૂત્રો અનુસાર, 120 ધારાસભ્યોની હાજરીમાં થયેલી બેઠકમાં પન્નીરસેલ્વમને પાર્ટીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ શશિકલાની જગ્યાએ પલાનીસામીને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે અને સાથે જ સરાકાર બનાવવાનો દાવો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઇ.પલાનીસામી સલેમ ઇડાપડ્ડી જિલ્લાના ધારાસભ્ય છે. તેમણે મીટિંગ બાદ રાજ્યપાલને પત્ર લખીને પોતાની તરફથી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાની તૈયારી
પલાનીસામી ત્રણ વાર ધારાસભ્ય બની ચૂક્યા છે અને શશિકલાના દળના મજબૂત નેતા માનવામાં આવે છે. શશિકલા તરફથી કોર્ટના નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ કરવાની યોજના બનાવી રહ્યાં છે. આવકથી વધુ સંપત્તિના 21 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે શશિકલા અને તેમના અન્ય બે સંબંધીઓને ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
રિસોર્ટથી ભાગ્યા હતા ધારાસભ્યો
આ પહેલાં તમિલનાડુના રાજકારણમાં છવાયેલા સંકટ વચ્ચે સોમવારે મોટો વળાંક આવ્યો હતો, જ્યારે ચેન્નાઇના એક રિસોર્ટમાં હાજર AIADMK ના 100થી વધુ ધારાસભ્યોમાંથી એક ભાગી નીકળ્યા હતા. આ આખા ઘટનાક્રમના થોડા કલાકો બાદ ધારાસભ્ય એસ.એસ.સરવનને આ પગલું મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમના પક્ષમાં જવા માટે લીધુ હતું. તેમણે શશિકલાને પડકાર આપ્યો છે. ધારાસભ્યએ કહ્યું કે, મેં પોતાને બચાવ્યો અને દીવાલ પર ચડીને ત્યાંથી છલાંગ લગાવી અને ભાગવામાં સફળ થયો.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
