વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદી યોગ્ય વિકલ્પ નથી: ઇકોનોમિસ્ટ
નવી દિલ્હી, 4 એપ્રિલ: અંગ્રેજીના એક સાપ્તાહિક અખબાર 'ધ ઇકોનોમિસ્ટ'એ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કોમી છબીને લઇને કડક ટીકા કરતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય વિકલ્પ નથી ગણાવ્યા. અખબારમાં છપાયેલા એક આર્ટિકલમાં મોદી પર કોમી હૃદયવાળા વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો છે.
અખબારે મોદી પર પોતાના શરૂઆતી કરિયરમાં મુસ્લિમ સમાજ વિરુધ્ધ ભડકાઉ અને આપત્તિજનક નિવેદન આપાવનો આરોપ લગાવ્યો છે. આર્ટિકલમાં મોદીને સમાજને વહેંચીને આગળ વધવામાં માહેર બતાવવામાં આવ્યા છે. સાથે જ ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો પર નરેન્દ્ર મોદી દ્વારા માફી નહીં માગવા બદલ તેમની ટિકા પણ કરી છે.
સમાચાર પત્રએ 2002ના ગુજરાત રમખાણોમાં મોદીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટ પર સવાલ ઉઠાવતા લખ્યું છે કે કોર્ટમાં જે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવી છે તે અનિર્ણાયક હતી, કારણ કે મામલાના પૂરાવા અથવા તો નષ્ટ થઇ ગયા હતા, અથવા તેને નષ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આર્ટિકલમાં નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલા આર્થિક વિકાસના પણ વખાણ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યો કરતા સારા ગણાવ્યા છે.
આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા મુક્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે આ સમાચાર પત્ર પાયાની માહિતીથી અજાણ છે. અને તેના આર્ટિકલમાં કોઇ તથ્ય નહીં હોવા જણાવ્યું છે. જોકે મોદી દેશના પીએમ પદ માટે યોગ્ય વિકલ્પ છે કે નહીં એ તો દેશની જનતા જ નક્કી કરશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
