ચૂંટણી અસર : ભાજપ પાર્ટી ચિહ્ન 'કમળ'ને શ્વેતશ્યામ બનાવશે
નવી દિલ્હી, 8 નવેમ્બર : ચૂંટણી પંચ દ્વારા ભાજપ અને તેના ચૂંટણી ચિહ્ન 'કમળ'ની રૂપરેખાને મોટી કરવાની અનુમતિ મળતા હવેથી પાર્ટી પોતાની તમામ ચૂંટણી પ્રચાર સામગ્રી પર તેનો પ્રયોગ શરૂ કરવાની છે. પાર્ટીએ ચૂંટણી પંચ પાસે પોતાની વર્તમાન રૂપરેખાને પાતળીમાંથી જાડી કરવા માટે અનુમતિ માંગી હતી.
આ મુદ્દે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું કે ભાજપને પોતાના ચૂંટણી ચિહ્ન કમળની રૂપરેખા મોટી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે તેની મૂળ ડિઝાઇનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ અંગે પાર્ટીના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે "ચૂંટણી પંચે અમારા ચૂંટણી ચિહ્નની રૂપરેખા મોટી કરી તેને વધારે ઘટ્ટ બનાવવા માટે અમને પરવાનગી આપી દીધી છે. હવે અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન - ઇવીએમમાં છાપવામાં આવતા ચૂંટણી ચિહ્નનો ઉપયોગ ચૂંટણી પ્રચાર સામગ્રીઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે."
ઇવીએમમાં પાર્ટીઓના ચૂંટણી ચિહ્નો શ્વેતશ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ રંગમાં જ છપાયેલા હોય છે. પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સૌ પ્રથમ આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ પાર્ટી સિમ્બોલનો ઉપયોગ કરશે. પાર્ટીનું માનવું છે કે તેના ચૂંટણી ચિહ્ન 'કમળ'નું અગાઉનું પ્રારૂપ અન્ય પક્ષોના ચૂંટણી ચિહ્નની સરખામણીએ વધારે ધ્યાનાકર્ષક ન હતું.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
