Election Commission : ચૂંટણી પ્રચારમાં ઝુમલા આપવા પડશે મોંઘા, ચૂંટણીપંચે લીધો મોટો નિર્ણય
ચૂંટણીપંચે રાજકીય પાર્ટીને જણાવ્યું છે કે, તેઓ ચૂંટણી ઢંઢેરોની વિસ્તૃત જાણકારી આપે. આ સાથે તેમણે આપેલા ચૂંટણી વચનો કેટલા પૂરા કર્યા છે, તે અંગે પણ માહિતી આપવી પડશે.
ચૂંટણીપંચે રાજકીય પાર્ટીને જણાવ્યું છે કે, તેઓ ચૂંટણી ઢંઢેરોની વિસ્તૃત જાણકારી આપે. આ સાથે તેમણે આપેલા ચૂંટણી વચનો કેટલા પૂરા કર્યા છે, તે અંગે પણ માહિતી આપવી પડશે. આ સાથે સાથે ચૂંટણીપંચ આદર્શ આચાર સંહિતાના દિશાનિર્દેશોમાં ફેરબદલી કરવાની તૈયારી કરી રહ્યું છે. ચૂંટણીપંચએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજકીય પાર્ટી જે ચૂંટણી વચન આપે છે તે પૂરા કરવા શક્ય છે કે નહીં, આ સાથે વોટર્સને ચૂંટણી ઝૂમલાના લાલચથી દૂર રહેવામાં મદદ કરશે.

ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને પોતાના ચૂંટણી ઢંઢેરા વિશે વિગતવાર માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે તેઓએ જે વચન આપ્યા હતા તેમાંથી કેટલા પૂર્ણ કર્યા તેના પર પણ ચૂંટણીપંચ નજર રાખશે. રાજકીય પક્ષોએ એ પણ જણાવવું પડશે કે, તમે જે વચનો આપ્યા હતા તે કેન્દ્રમાં કે રાજ્યમાં આવકની દૃષ્ટિએ પૂરા થઈ શકે છે. આ સાથે ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતાની માર્ગદર્શિકા બદલવાની તૈયારી કરી રહ્યું છે. ચૂંટણી પંચે પોતાના પત્રમાં કહ્યું છે કે, રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરવા શક્ય છે કે, નહીં તેના આધારે જ મતદારોનો વિશ્વાસ જીતવો જોઈએ. કારણ કે ખાલી વચનોની દૂરગામી અસરો હોય છે.
આ સાથે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો માટે તેમનો ઢંઢેરો તૈયાર કરવાનો તેમનો અધિકાર છે, પરંતુ એ ભૂલી ન શકાય કે તેનો ખોટો સંદેશ લોકો સુધી ન પહોંચે, લોકોએ જાણવું જોઈએ કે, આ વચનો કયા આધારે આપવામાં આવી રહ્યા છે. આ વચનોની અસર ભેદભાવપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીના આચરણમાં પણ અવરોધ ઊભો કરે છે. તમામ પક્ષો અને ઉમેદવારોને સમાન તક મળવી જોઈએ. તેથી જે વચનો આપવામાં આવી રહ્યા છે, તે કેવી રીતે પૂર્ણ થશે તે પણ ચૂંટણી ઢંઢેરામાં જણાવવું જરૂરી રહેશે.
રાજકીય પક્ષોએ આ વચનો પર કેટલો ખર્ચ થશે, તેનો કેટલો વિસ્તાર કરવામાં આવશે, લોકોને આ વચનોનો લાભ કેવી રીતે મળશે, તેની
માહિતી પણ આપવી પડશે. આની આર્થિક અસર શું થશે, આ માટે પૈસા ક્યાંથી આવશે. તે ખરેખર પરિપૂર્ણ કરી શકાય છે? જો રાજકીય પક્ષો આ અંગે કોઈ પ્રતિક્રિયા નહીં આપે તો માની લેવામાં આવશે કે, પક્ષ પાસે આ બાબતે કંઈ કહેવાનું નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
