નીતિ આયોગના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલી નોટિસ
નીતિ આયોગના VCએ રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલ નોટિસ
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જેવી રીતે દેશના દરેક ગરીબોને દર મહિને 12000 રૂપિયા આપવાની ન્યૂનતમ આવકને સુનિશ્ચિત કરવાની ઘોષણા કરી તેના પર નીતિ આયોગના વીસીને ટિપ્પણી કરવી મોંઘી પડી ગઈ. ચૂંટણી પંચે નીતિ આયોગના વીસી રાજીવ કુમારને તેમના નિવેદન બદલ કારણ દર્શાવો નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે કહ્યું કે નીતિ આયોગના વીસીનું નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આચાર સંહિતા લાગુ થયા બાદ કોઈપણ સરકારી કર્મચારી સરકારના સમર્થનમાં નિવેદન ન આપી શકે, ચૂંટણી પંચે રાજીવ કુમાર પાસેથી 2 દિવસમાં જવાબ માંગ્યો છે.

યોજના પર ઉઠાવ્યો હતો સવાલ
જણાવી દઈએ કે રાજીવ કુમારે ટ્વીટ કરી કોંગ્રેસના ન્યૂનતમ આવક યોજના પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 1971માં ગરીબી હટાવો, 2008માં ઓઆરઓપી, 2013માં ખાદ્ય સુરક્ષા બિલનો વાયદો કરી ચૂંટણી જીતી હતી પરંતુ તેઓ આ વાયદાઓ પૂરા નહોતા કરી શક્યા. કંઈક આવી જ રીતે અલોકપ્રિય પગલું છે ન્યૂનતમ આવક યોજના. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે ન્યૂનતમ આવક પર કુલ ખર્ચ જીડીપીના 2 ટકા અને કુલ બજેટના 13 ટકા છે. એવામાં આ યોજના એ વાતને સુનિશ્ચિત કરશે કે લોકોની વાસ્તવિક જરૂરિયાતો પૂરી નહિ થઈ શકે.

રાહુલ ગાંધીએ કર્યું હતું એલાન
જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ આ યોજનાનું એલાન કરતા કહ્યું હતું કે જે કોઈપણ ગરીબ પરિવાર દર મહિને 12000થી ઓછી આવક કરતો હશે અેમ તેના બેંક અકાઉન્ટમાં આ રૂપિયા મોકલશું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ગરીબી પર આ નિર્ણાયક હુમલો છે જે દેશના 25 કરોડ લોકોને ફાયદો પહોંચાડશે. એક ઈન્ટર્વ્યૂમાં રાજીવ કુમારે કહ્યું કે કોંગ્રેસની આ નીતિથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે અને નાણાકીય નુકસાન વધશે.

અર્થવ્યવસ્થા પર પડશે ખરાબ અસર
રાજીવ કુમારે કહ્યું કે રાહુલ ગાંધીએ આ એલાન નહોતું કરવું જોઈતું. આના કારણે આપણી ક્રેડિટ રેટિંગ પર અસર પડશે, એટલું જ નહિ કોસ્ટ બોરોવિંગ પર પણ અસર પડશે. મોદી સરકારની કિસાન યોજના પૂરી રીતે અલગ છે, આ યોજના પૂરી રીતે ચિન્હિત ગરીબ ખેડૂતો માટે છે. જણાવી દઈએ કે નીતિ આયોગના અધ્યક્ષ પીએમ નરેન્દ્ર મોદી છે. નીતિ આયોગને સરકારની થિંક ટેન્ક માનવામાં આવે છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ રાહુલ ગાંધીના આ એલાનની ટિકા કરી હતી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
