ચૂંટણીમાં મોદી લહેર નહીં, નાણા અને મીડિયાનો દબદબો : દિગ્વિજય
જબલપુર, 12 મે : આગામી 16 મેના રોજ તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે તેવો દાવો કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કર્યો છે. સિંહે જણાવ્યું છે કે દેશમાં ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીની કોઇ લહેર નથી અને આ ચૂંટણીઓમાં માત્ર મની અને મીડિયાનો દબદબો રહ્યો છે.
દિગ્વિજય સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોદીની કોઇ લહેર નથી. મતગણના પહેલા જ મીડિયાએ આ બાબત વધારીને જણાવી છે. વર્ષ 2004 અને 2009માં એક્ઝિટ પોલ જેવી રીતે ખોટા સાબિત થયા હતા તેવી જ રીતે આ વર્ષે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.

તેમણે ભાજપ પર વ્યક્તિવાદી રાજકારણ રમવાનો આરોપ મુકતા જણાવ્યું કે પહેલા ભાજપ પોતાના સંગઠન પર ગર્વ કરતી હતી. પરંતુ હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પાછળ કરીને ભાજપ નરેન્દ્ર મોદીને આગળ કરીને વ્યક્તિવાદી રાજકારણ રમી રહી છે.
પ્રિયંકા ગાંધી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના નેતા નથી. આથી તેમણે ચૂંટણી પ્રચારમાં માત્ર પોતાના પરિવારના સભ્યો માટે જ પ્રચાર કર્યો છે. તેમણે ભાજપ અને મોદીને જે જડબાતોડ જવાબ આપ્યો છે તેની સરાહના થવી જોઇએ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
