જમ્મુના સિંધરામાં સુરક્ષાકર્મીઓનું એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું હતું કે, આતંકવાદીએ એક ટ્રકમાં હતા. ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકવાદીની લાશ કબ્જે કરવામાં આવી છે.
જમ્મુમાં સુરક્ષા જવાનો દ્વારા સિંધરામાં વિસ્તારમાં આતંકવાગીને ઘેરી લેવામાં આવ્યા હતા. આ એનકાઉન્ટરમાં 3 આતંકવાદીઓને સુરક્ષ જવાનોએ ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું હતું કે, આતંકવાદીએ એક ટ્રકમાં હતા. ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકવાદીની લાશ કબ્જે કરવામાં આવી છે.

બુધવારની સવારે સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ વિસ્તારમાં આતંકીઓની ઘેરાબંધી શરૂ કરવામાં આવી હતી, આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું.
આ ઘટના અંગે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બે શંકાસ્પદ આતંકવાદીઓ છૂપાયેલા છે, જેને પોલીસે કોર્ડન કરી લીધા છે.
આ પહેલા સોમવારના રોજ પણ પણ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે આતંકીના એક સાગરીકની ધરપકડ કરી હતી. મેંધર સબડિવિઝનમાંથી પોલીસ દ્વારા આતંકવાદીઓના સાગરીકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અને ભારતીય સેનાના જવાનો દ્વારા રવિવારના રોજ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ અને અન્ય વસ્તુઓ મળી આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, અમે જે આતંકવાદીની ધરપકડ કરી છે, તેનો સહયોગી સલવા વિસ્તારમાં રહેતો હતો, તેનું નામ તૈયબ ખાન છે, જ્યારે તેને રોકવા માટે કહેવામાં આવ્યું, તો તે ભાગવા લાગ્યો હતું. તે જંગલ વિસ્તારમાંથી આવી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બરના રોજ શોપિયાંમાં આતંકવાદીઓએ સામાન્ય નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના શોપિયાના હીરપોરા વિસ્તારમાં બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓએ વસીમ અહેમદ વાની તરીકે ઓળખાતા નાગરિક પર ગોળીબાર કર્યો હતો. આ નાગરિક શોપિયાંના બુરીહલાન વિસ્તારમાં રહે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
