આઝાદીના 75 વર્ષ પછી પણ શિક્ષણ કામ નથી થયુ-અરવિંદ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા મહિને દિલ્હીમાં 'મેક ઈન્ડિયા નંબર 1' અભિયાનની શરૂઆત કરી ભારતને વિશ્વમાં નંબર 1 દેશ બનાવવાની ઝુંબેશ શરૂ કરી છે.
નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા મહિને દિલ્હીમાં 'મેક ઈન્ડિયા નંબર 1' અભિયાનની શરૂઆત કરી ભારતને વિશ્વમાં નંબર 1 દેશ બનાવવાની ઝુંબેશ શરૂ કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે આ અભિયાન હેઠળ તેઓ સમગ્ર દેશનો પ્રવાસ કરશે અને રાષ્ટ્ર નિર્માણના તેમના નવા અભિયાન સાથે વધુને વધુ લોકોને જોડશે. બુધવારે કેજરીવાલે હરિયાણામાં તેમના જન્મસ્થળ હિસારથી આ અભિયાનની ઔપચારિક શરૂઆત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, દેશ માટે 75 વર્ષ વધારે નથી, પણ ઓછા પણ નથી. દેશના 130 કરોડ લોકોનું સપનું છે કે ભારત વિશ્વમાં નંબર 1 દેશ બને. ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે.

ભારત આજે વિશ્વમાં નંબર વન દેશ કેમ નથી? ભારત સમૃદ્ધ દેશ કેમ નથી? ભારતમાં લોકો હજુ પણ ગરીબ કેમ છે? તેમણે કહ્યું કે જ્યારે ભગવાને બ્રહ્માંડની રચના કરી ત્યારે સૌથી વધુ બુદ્ધિશાળી લોકો ભારતમાં હતા. દેશના લોકો મહેનતુ છે. વિશ્વના શ્રેષ્ઠ હોદ્દાઓ પર મોટી કંપનીઓમાં ભારતના લોકો છે પરંતુ તેમ છતાં ભારત નંબર વન નથી.
કેજરીવાલે કહ્યું કે, સિંગાપોરને 15 વર્ષ પછી આઝાદી મળી, છતાં આપણાથી આગળ નીકળી ગયું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન બરબાદ થઈ ગયું, જર્મની બરબાદ થઈ ગયું પણ બંને દેશો આપણાથી આગળ નીકળી ગયા. વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભા દેશમાં છે પરંતુ તેમ છતાં આપણે નંબર વન નથી, કારણ કે આપણી સિસ્ટમ ખરાબ છે. કારણ રાજકારણીઓએ ગંદી રાજનીતિ કરી છે. આટલા વર્ષો સુધી શાસન કરનારા પક્ષોને કારણે ભારત પછાત રહ્યું. અત્યારે પણ જો આપણે દેશ તેમના માટે છોડી દઈએ તો પણ આપણે ક્યારેય આગળ વધી શકીશું નહીં.












Click it and Unblock the Notifications
