હિન્દૂ 5 બાળક પેદા કરશે તો જ હિન્દુત્વ બચશે: બીજેપી MLA

આજકાલ નેતાઓ પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય જનતા પાર્ટીના વિધાયક સુરેન્દ્ર સિંહ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. હાલમાં તેમને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે.

આજકાલ નેતાઓ પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય જનતા પાર્ટીના વિધાયક સુરેન્દ્ર સિંહ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. હાલમાં તેમને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિન્દુઓની વસ્તીમાં વધારો થવો જોઈએ, તેના માટે જરૂરી છે કે દરેક હિન્દૂ 5 બાળકો પેદા કરે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્ર સિંહ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાની બેરિયા સીટથી બીજેપી વિધાયક છે અને તેઓ હંમેશા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે.

BJP MLA Surendra Singh

હિન્દુઓની જનસંખ્યાને લઈને સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દરેક મહંતની ઈચ્છા છે કે દરેક હિન્દૂ 5 બાળક પેદા કરે તો ભારતીય તાકાત બની રહેશે. ભારતમાં હિન્દુત્વ બન્યું રહેશે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્ર સિંહ ઘ્વારા આ પહેલા જિન્નાને જલ્લાદ કહેવામાં આવ્યો હતો. તેમને કહ્યું કે જિન્નાને આતંકી નહીં કહે, પરંતુ રાષ્ટ્રવિરોધી ચિંતન વ્યક્તિ ચોક્કસ કહેશે. આતંકી એટલા માટે નહીં કહું કારણકે સ્વતંત્રતા આંદોલનમાં જિન્ના સહભાગી હતા ત્યારપછી જિન્ના પાકિસ્તાન ચાલ્યા ગયા. તેમને ભારતને ક્યારેય પણ પોતાનું રાષ્ટ્ર માન્યું નથી.

એટલું જ નહીં પરંતુ આ પહેલા તેમને અધિકારીઓ માટે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે અધિકારીઓ કરતા સારું ચરિત્ર વેશ્યાઓનું હોય છે. તેઓ પૈસા લઈને પોતાનું કામ કરે છે સ્ટેજ પર નાચે છે. પરંતુ આ અધિકારીઓ પૈસા લઈને પણ કામ કરશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી હોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X