દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનું નિધન થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે શીલા દીક્ષિત લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને તબીયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે દિલ્હીના એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. શીલા દીક્ષિત 81 વર્ષના હતા અને વર્તમાનમાં તેઓ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા હતા. શીલા દીક્ષિત સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા અને 2014માં તેમને કેરળના રાજ્યપાલ બનાવવામા આવ્યાં હતાં. જો કે કેટલાક સમય બાદ જ તેમણે રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપી દિલ્હીની રાજનીતિમાં સક્રિય થઈ ગયાં હતાં.













Click it and Unblock the Notifications
