EXIT POLL: પંજાબ-હરિયાણામાં મોદીની બલ્લે-બલ્લે, આપનો સફાયો
ચંદીગઢ, 12 મે: લોકસભા ચૂંટણી 2014 માટે મતદાનના બધા જ તબક્કા પુરા થઇ ગયા છે. સૌની નજર 16 મેના પરિણામો છે. એવામાં ચૂંટણી પરિણામો પહેલાં અત્યારે વાત એક્ઝિટ પોપો પર ટકેલી છે. 16 મેના રોજ જ્યારે ઇવીએમ મશીન ખુલશે અને દેશની નવી સરકારના ગઠનનો રસ્તો સાફ થશે પરંતુ તેના પહેલાં અલગ-અલગ એજન્સી પોતાના પોલ કરી રહી છે.

પંજાબમાં મોદીની બલ્લે-બલ્લે
પંજાબમાં પોસ્ટ પોલ સર્વેના અનુસાર પંજાબની 13 સીટોમાંથી ભાજપ-અકાલીદળ ગઠબંધનને 6 થી 9 સીટો મળી શકે છે. કોંગ્રેસને 3 થી 5 સીટો અને આમ આદમી પાર્ટીને 1 થી 3 સીટો મળવાનું અનુમાન છે.
હરિયાણાનું પોસ્ટ પોલ સર્વે
પોસ્ટ સર્વેના અનુસાર હરિયાણામાં ભાજપ ગઠબંધનને 38 ટકા વોટ મળવાનું અનુમાન છે. ત્યારબાદ કોંગ્રેસને 24 ટકા, ઇન્ડિયન નેશનલ લોકદળને 20 ટકા, બસપાને 5, આમ આદમી પાર્ટીને ચાર અને અન્યને 9 ટકા વોટ મળવાના અનુસાર છે.












Click it and Unblock the Notifications
