નૌસેનાના INS રણવીરમાં વિસ્ફોટ, ત્રણ નૌસૈનિક શહીદ, 11 ઘાયલ!
મુંબઈમાં ભારતીય નૌકાદળના ડોકયાર્ડમાં INS રણવીરના અંદરના ભાગમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ભારતીય નૌકાદળના 3 જવાન શહીદ થયા છે, જ્યારે 11 જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે.
નવી દિલ્હી, 18 જાન્યુઆરી : મુંબઈમાં ભારતીય નૌકાદળના ડોકયાર્ડમાં INS રણવીરના અંદરના ભાગમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ભારતીય નૌકાદળના 3 જવાન શહીદ થયા છે, જ્યારે 11 જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સ્થાનિક નેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી તરત જ, ક્રૂએ કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી, જેના કારણે વધુ નુકસાન થયું ન હતું. મામલાની ગંભીરતાને જોતા નૌકાદળના મુખ્યાલયે તપાસના આદેશ આપ્યા છે.
આ મામલે નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું કે, INS રણવીર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ તૈનાત પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત ફરવાનું હતું. આ દરમિયાન અંદરના કમ્પાર્ટમેન્ટમાં વિસ્ફોટ થયો હતો. ઘટના બાદ જવાનોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં ત્રણ જવાન શહીદ થઈ ગયા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. જેના કારણે તપાસ બોર્ડની રચના કરવામાં આવી છે.
5 રાજપૂત વર્ગના વિધ્વંસકોમાંથી ચોથા INS રણવીરને 28 ઓક્ટોબર 1986ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેના પર 30 અધિકારીઓ અને 310 ખલાસીઓની ટીમ તૈનાત છે. ભારતની દરિયાઈ સરહદના સંરક્ષણમાં INS રણવીરની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેની પાસે સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ, વિમાન વિરોધી મિસાઈલ, સબમરીન વિરોધી રોકેટ લોન્ચર વગેરે છે. આ જહાજ 28 એન્ટી સબમરીન હેલિકોપ્ટર ચલાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
તમને
જણાવી
દઈએ
કે
ગયા
વર્ષે
ઓક્ટોબરમાં
પણ
INS
રણવિજય
પર
આવી
જ
એક
ઘટના
બની
હતી.
તે
દરમિયાન
જહાજના
એક
ભાગમાં
આગ
લાગી
હતી.
જેમાં
કેટલાક
ખલાસીઓ
દાઝી
ગયા
હતા.
બાદમાં
તેમને
નેવીની
હોસ્પિટલ
INHS
કલ્યાણીમાં
દાખલ
કરવામાં
આવ્યા
હતા.
જો
કે
તે
દરમિયાન
પણ
નૌકાદળના
અધિકારીઓ
અને
જવાનોએ
પોતાની
સમજદારીથી
પરિસ્થિતિને
કાબુમાં
લીધી
હતી.