મહારાષ્ટ્ર: ફડણવીસના નિવેદન પર શિવસેનાએ આપી પ્રતિક્રીયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે ખેંચતાણ થઇ રહી છે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે ખેંચતાણ થઇ રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર ઠપકો આપ્યો છે. શિવસેનાના નેતાએ ફડણવીસના નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે 'તે ખોટું બોલે છે, મીડિયા સમક્ષ બધી વાત થઇ છે અને અમે અમારો અધિકાર માંગીએ છીએ.

આ પહેલા ફડણવીસે એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, અમારા પાર્ટી અધ્યક્ષે પુષ્ટિ આપી છે કે શિવસેનાના સીએમ પદ માટે કંઈ નક્કી થયું નથી. હજી સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી કરાયો નથી. મને ખાતરી છે કે તે ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે. મંગળવારે એક ઇન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે સીએમ વિશે ચાલી રહેલી ચર્ચા અંગે કહ્યું હતું કે, તે નિશ્ચિત છે કે હું મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી રહીશ, અમારી પાસે કોઈ યોજના બી અથવા સી નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે શિવસેનાની માંગણીઓ પર વિચાર કરી રહ્યા છીએ, અમે તેમની યોગ્યતાના આધારે આગળની યોજના કરીશું.
શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસ પર જુઠ્ઠા હોવાનો આરોપ લગાવ્યો છે, ત્યારે દેવેન્દ્ર ફડણવીસે મીડિયામાં જણાવ્યું છે કે શિવસેનાએ એક પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું, 'લોકસભાની ચૂંટણી વખતે શિવસેનાએ અઢી વર્ષ માટે રોટેશનલ સીએમની દરખાસ્ત કરી હતી, પરંતુ મારી સમક્ષ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો ઉદ્ધવજી અને અમિત શાહ વચ્ચે તેની ચર્ચા થઈ છે, તો તેઓ તે વિશે જાણે છે અને ફક્ત તે જ તે અંગે નિર્ણય લઈ શકે છે.
દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે શિવસેના વતી મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલા અપનાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આજે પણ શિવસેનાએ કહ્યું કે 'ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે અન્ય વિકલ્પો પણ છે પરંતુ અમે તે વિકલ્પને સ્વીકારવાનું પાપ કરવા માંગતા નથી. શિવસેનાએ હંમેશાં સત્યનું રાજકારણ કર્યું છે, આપણે સત્તાના ભૂખ્યા નથી.
શિવસેનાના નેતા સંજય રાઉતને આ સવાલ પૂછવામાં આવ્યા હતા કે, 'ચૂંટણી પહેલા ભાજપ સાથે જોડાણ હતું, તો પછી સરકાર બનાવવામાં કેમ સમય લાગે છે?' આ તરફ તેમણે કહ્યું, 'અહીં કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં છે. અહીં આપણે છીએ, જે સત્ય અને ધર્મનું રાજકારણ કરે છે. ભાજપ અને કોંગ્રેસ વિરૂદ્ધ વાતાવરણ ઉભું કરનાર શરદ જી ક્યારેય ભાજપ સાથે નહીં જાય.
સામનાથી ભાજપ કેમ છે નારાજ?
દેવેન્દ્ર ફડણવીસે સેનાના મુખપત્ર સામના પર નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે સામનામાં જે લખ્યું છે તે સારૂં નથી. તે વાત બગાડવાનું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બુધવારે ધારાશબ્યોની બેઠક મળશે અને તે જ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છેકે મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામોમાં શિવસેના અને ભાજપના જોડાણને બહુમતી મળી છે. બંને પક્ષોને 161 બેઠકો મળી છે. તેમાંથી ભાજપને 105 બેઠકો અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. હવે શિવસેના 50-50 ફોર્મ્યુલા હેઠળ સરકાર બનાવવાનું વચન આપ્યું છે તેના પર મક્કમ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: CM પદને લઇને દેવેન્દ્ર ફડણવીસે આપ્યુ નિવેદન












Click it and Unblock the Notifications
