'ગુજરાત કરતા વધારે નકલી એન્કાઉન્ટર જમ્મૂ-કાશ્મીરમાં થાય છે'
સૂત્રો અનુસાર ઓમરે ગુજરાતના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર પર ટિપ્પણી કરતા કહ્યું કે ગુજરાત કરતા વધારે નકલી એન્કાઉન્ટર જમ્મૂ-કાશ્મીરમાં થાય છે. હાલના દિવસોમાં ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર ખૂબ જ ચર્ચામાં છે કારણ કે આખા 9 વર્ષ પછી મામલા પર સીબીઆઇએ ખુલાસો કર્યો છે કે ઇશરત જહાં આતંકવાદી ન્હોતી અને તે એન્કાઉન્ટર નકલી હતું.
જોકે ઓમર અબ્દુલ્લાની આ ટિપ્પણીને કાશ્મીરવાદ અથવા અલગતાવાદ સાથે સાંકળીને પણ જોવામાં આવી રહી છે. તેમનો ઇશારો કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ભારતીય સૈન્ય દ્વારા કરાતી કાર્યવાહી ઉપર શંકા સમાન ગણાવાઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ બુધવારે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારી સીબીઆઇ ઉપાધ્યક્ષ જી કલૈમણિએ પ્રથમ આરોપપત્ર દાખલ કર્યું. જેમાં તેમણે એવો દાવો કર્યો છે કે ઇશરત જહાં આતંકવાદી ન્હોતી. સાથે સાથે સીબીઆઇએ એવું પણ જણાવ્યું છે કે ઇશરતની સાથે ઠાર મરાયેલ કહેવાતો પાકિસ્તાની નાગરિક જીશાન જોહર લગભગ ત્રણ મહિના સુધી ગુજરાત પોલીસની કેદમાં હતા.