કૃષિ કાયદાનો વિરોધ: ખેડૂતોએ 8 ડિસેમ્બરે કર્યુ ભારત બંધનું એલાન, પીએમના પુતળાઓનું કરાશે દહન
મોદી સરકારે સંસદના ચોમાસા સત્રમાં ત્રણ નવા કૃષિ કાયદા લાવ્યા. જેની સામે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ મોરચો ખોલ્યો છે. વળી, તેઓ છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીની યાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી હતી,
મોદી સરકારે સંસદના ચોમાસા સત્રમાં ત્રણ નવા કૃષિ કાયદા લાવ્યા. જેની સામે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ મોરચો ખોલ્યો છે. વળી, તેઓ છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીની યાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી હતી, પરંતુ કોઈ નક્કર સમાધાન મળ્યું નથી. જેને કારણે હવે 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું આહવાન કર્યું છે. તેમજ 5 મીએ તે દેશભરમાં પણ મોટા પ્રદર્શન કરશે.

સિંઘુ સરહદ પર મીડિયા સાથે વાત કરતા ભારતીય કિસાન સંઘ (બીકેયુ-લખોવાલ) ના મહાસચિવએ કહ્યું કે ગઈકાલે (ગુરુવારે) અમે સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે વહેલી તકે કૃષિ કાયદાને પાછો ખેંચી લે. આ સાથે 5 ડિસેમ્બરે તેઓ દેશભરમાં પીએમ મોદીને પુતળા દહન કરશે. આ પછી, 8 ડિસેમ્બરે તેમણે ભારત બંધનું આહવાન કર્યું હતું. તે જ સમયે, અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી, હન્નાન મૌલાએ કહ્યું કે આપણે આ વિરોધને આગળ વધારવાની જરૂર છે. જ્યાં સુધી મોદી સરકાર કૃષિ કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમે પ્રદર્શન કરીશું.
ગાઝિયાબાદ-દિલ્હી સરહદ પર કિસાન મોરચો છે, જ્યાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, 8 મી ડિસેમ્બરે ભારત બંધની ઘોષણા કરવામાં આવી છે. શનિવારે ભારત સરકારે આ સંદર્ભમાં એક બેઠક બોલાવી છે, જેમાં તેઓ શામેલ થશે. ખેડુતોની ઘોષણા બાદ અપેક્ષા રાખવામાં આવે છે કે ઘણા રાજકીય પક્ષો પણ આ બંધનું સમર્થન કરશે.
બીજી તરફ ખેડૂત આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દિલ્હીના એડવોકેટ ઓમ પ્રકાશ પરિહરે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને ખેડૂતોને હટાવવાની માંગ કરી છે. અરજીમાં તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોના રોગચાળો ફેલાયો હોવાથી, ખેડૂતોને તાત્કાલિક હટાવવા આદેશો આપવા જોઈએ જેથી કોરોનાનું જોખમ ઓછું થઈ શકે.
આ પણ વાંચો: વેક્સીન પર ચર્ચા કે ફરીથી લૉકડાઉન? PM મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
