ખેડૂતોની કાનૂની મદદ માટે સીએમ અમરિંદરે બનાવી 70 વકીલોની ટીમ, બોલાવી સર્વપક્ષીય બેઠક

અમરિંદર સિંહે ખેડૂતોના મુદ્દે મંગળવારે એટલે કે આજે ચંદીગઢના પંજાબ ભવનમાં બધા પક્ષોની બેઠક બોલાવી છે.

નવી દિલ્લીઃ Farmers Agitation latest news. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી દિલ્લીની સીમાઓ પર ચાલી રહેલ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના ખેડૂતોનુ આંદોલન હવે ઉગ્ર બની રહ્યુ છે. આંદોલનને આગળ વધારીને ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ છે કે આવનારી 6 ફેબ્રુઆરીએ આંદોલનકારી ખેડૂત ત્રણ કલાક માટે દેશભરમાં રસ્તાઓને બ્લૉક કરશે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ ખેડૂતોના મુદ્દે મંગળવારે એટલે કે આજે ચંદીગઢના પંજાબ ભવનમાં બધા પક્ષોની બેઠક બોલાવી છે.

Amarinder Singh

સીએમ અમરિંદર સિંહે સોમવારે ટ્વિટ કરીને કહ્યુ કે, 'ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની ઘટના બાદ દિલ્લી પોલિસે જે ખેડૂતો સામે કેસ નોધ્યા છે તેમની લડાઈ લડવા માટે પંજાબ સરકારે 70 વકીલોની ટીમ બનાવી છે. હું વ્યક્તિગત રીતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે એ ઘટના બાદ ગુમ થયેલ ખેડૂતોનો મુદ્દે ઉઠાવીશ અને એ સુનિશ્ચિત કરીશ કે આ લોકો સકુશળ પોતાના ઘરે પહોંચે. કોઈ પણ પ્રકારની મદદ માટે તમે લોકો 112 પર ફોન કરી શકો છો.' અમરિંદર સિંહે કહ્યુ કે ખેડૂતો પર આવેલ સંકટના આ સમયે બધા પક્ષોએ સાથે આવવુ જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X