Farmers Protest: અફવાઓને પર રિલાયન્સ ગૃપે આપી સફાઇ, કહ્યું- કોર્પોરેટ ખેતીમાં એન્ટ્રીનો કોઇ પ્લાન નથી
મોદી સરકારે સંસદના ચોમાસા સત્રમાં ત્રણ નવા કૃષિ કાયદા લાવ્યા છે. પહેલા સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો થયો હતો, આ પછી પંજાબ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડુતો રસ્તા પર ઉતર્યા હતા. સરકારનું કહેવું છે કે નવા કાયદાથી ખેડૂ
મોદી સરકારે સંસદના ચોમાસા સત્રમાં ત્રણ નવા કૃષિ કાયદા લાવ્યા છે. પહેલા સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો થયો હતો, આ પછી પંજાબ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડુતો રસ્તા પર ઉતર્યા હતા. સરકારનું કહેવું છે કે નવા કાયદાથી ખેડૂતોને પાક વેચવાની ઘણી આઝાદી મળશે, જ્યારે ખેડૂતોનું માનવું છે કે આ કાયદા દ્વારા મોદી સરકાર અંબાણી જેવા ઉદ્યોગપતિઓને લાભ આપવા માંગે છે. દરમિયાન, સોમવારે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ સમગ્ર મામલામાં કંપનીના નામ અંગે સ્પષ્ટતા આપી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ નવા કાયદા દ્વારા નફાની અફવાઓને નકારી કાઢી હતી. એમ પણ કહ્યું કે કોર્પોરેટ ફાર્મિંગથી સંબંધિત ધંધામાં પ્રવેશવાની તેની કોઈ યોજના નથી. ન તો તેમની કંપનીએ આ માટે ખેતીની જમીન ખરીદી છે અથવા તો કોર્પોરેટ ફાર્મિંગ સાથે સંબંધિત કોઈ કરાર કર્યો નથી. નજીકના ભવિષ્યમાં પણ તેની પાસે આવી કોઈ યોજના નથી.
આરઆઈએલે વધુમાં જણાવ્યું છે કે તેઓ સીધા જ ખેડુતો પાસેથી અનાજ ખરીદતા નથી અને તેના સપ્લાયર્સ ન્યુનત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર જ ખેડૂતો પાસેથી ખરીદી કરે છે. રિલાયન્સ ગ્રૂપ અને તેના ભાગીદારો ભારતીય ખેડુતોની આકાંક્ષાઓનું સંપૂર્ણ સમર્થન કરે છે અને તેમની મહેનતનાં બદલામાં તેમનો લાભ મેળવવા માટે પ્રયત્નશીલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ કોઈ સબસિડી પર સીધી કે આડકતરી રીતે કોઈ કૃષિ જમીન ખરીદી નથી.
તે જ સમયે, કિસાન આંદોલન દરમિયાન પંજાબમાં જિઓના ટાવરોને નુકસાન થયું છે. જેને લઈને રિલાયન્સે કહ્યું હતું કે ઘણા ઉપદ્રવી તેમની ટેલિકોમ સેવાઓ વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાં તેમના ધંધાકીય હરીફો પણ બદમાશોને ટેકો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં તેણે પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં કોર્ટને સરકારને નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી કે ટાવરોને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: કોવેક્સિનના ટ્રાયલનો ડેટા અધુરો, નિષ્ણાંતોએ ઉઠાવ્યા સવાલ
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
