31 જાન્યુઆરીના રોજ 'વિશ્વાસઘાત દિવસ' ઉજવશે ખેડૂતો, રાકેશ ટિકૈતે કેન્દ્ર પર લગાવ્યા આ આરોપો

ખેડૂતોના લાંબા આંદોલન બાદ કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા, ત્યારબાદ ખેડૂતોએ વિરોધ સ્થળ સંપૂર્ણપણે ખાલી કરી દીધું છે.

નવી દિલ્હી, 30 જાન્યુઆરી : ખેડૂતોના લાંબા આંદોલન બાદ કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા, ત્યારબાદ ખેડૂતોએ વિરોધ સ્થળ સંપૂર્ણપણે ખાલી કરી દીધું છે. આટલું જ નહીં ગત વર્ષે 9 ડિસેમ્બરના રોજ સરકારે આપેલા વચનોના પત્રના આધારે ખેડૂતોએ તેમનું આંદોલન પાછું ખેંચ્યું હતું.

આવા સમયે ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે રવિવારના રોજ કેન્દ્ર પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો છે. જે બાદ રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરીએ દેશભરમાં 'પ્રોટેસ્ટ ડે' ઉજવવામાં આવશે.

'સરકારે MSP અને કેસનું વચન પૂરું કરવું જોઈએ'

BKU નેતા રાકેશ ટિકૈતે ન્યૂઝ એજન્સી ANIને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરીએ દેશભરમાં 'પ્રોટેસ્ટ ડે' ઉજવવામાં આવશે.

અમારી માગ છે કે,કેન્દ્ર સરકારે દિલ્હીમાં એમએસપી પર આપેલા વચનને પૂર્ણ કરવું જોઈએ. આ સાથે વર્ષભરના વિરોધ દરમિયાન નોંધાયેલા ખેડૂતો સામેના કેસ પણ રદ્દ કરવા જોઇએ.

31 જાન્યુઆરીએ "વિશ્વાસઘાત દિવસ"

રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને લખ્યું છે કે, ખેડૂતો પ્રત્યે સરકારની અવજ્ઞાના વિરોધમાં આવતીકાલે 31 જાન્યુઆરીએ દેશભરમાં "વિશ્વાસઘાત દિવસ" ઉજવવામાં આવશે.

9ડિસેમ્બરના પત્રના આધારે સરકારે તેમાંથી એકપણ વચન પૂરું કર્યું નથી, જેના આધારે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું.

અમે ચૂંટણીથી અલગ છીએ : ટિકૈત

અમે ચૂંટણીથી અલગ છીએ : ટિકૈત

આ સાથે જ રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, ભારત સરકારે દિલ્હીમાં જે પણ વચનો આપ્યા છે, તેને પૂરા કરવા જોઇએ. અમે ચૂંટણીથી અલગ છીએ, અમારી પાસે એક મતછે, અમે તે કોઈને પણ આપીશું. હું કોઈનું સમર્થન નથી કરતો. જો લોકો સરકારથી ખુશ છે, તો તેઓ તેમને મત આપશે, જો તેઓ નારાજ હશે, તો તેઓ બીજાને મતઆપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X