ભારતીય પાયલટની મુક્તિ અંગે પાકના પૂર્વ પીએમની પૌત્રી ફાતિમા ભુટ્ટોનું મોટુ નિવેદન
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખિકા ફાતિમા ભુટ્ટોએ ઈમરાન ખાનની સરકારને અપીલ કરી છે.
ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની વાયુ સેનાના F-16 લડાકુ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ-21 બિસોને મારી દીધુ હતુ પરંતુ આ જવાબી કાર્યવાહીમાં મિગ ક્રેશ થઈ ગયુ અને મિગના પાયલટ પડોશી દેશની સીમાની અંદર જઈ પહોંચ્યા હતા. હવે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને પાછા લાવવાની ભારત તરફથી કોશિશો વધી રહી છે. આ મામલે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખિકા ફાતિમા ભુટ્ટોએ ઈમરાન ખાનની સરકારને અપીલ કરી છે.

ભારતીય વાયુસેનાના પાયલટને મુક્ત કરવામાં આવે - ફાતિમા
ફાતિમા ભુટ્ટોએ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર પાસે માંગ કરી છે કે ભારતીય વાયુસેનાના એ પાયલટને મુક્ત કરવામાં આવે જેને પાકિસ્તાને પકડવાનો દાવો કર્યો છે. ફાતિમાએ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેખ લખ્યો, ‘મે અને અન્ય ઘણા યુવા પાકિસ્તાનીઓએ પોતાના દેશને અપીલ કરી છે કે તે પકડાયેલા ભારતીય પાયલટને શાંતિ, માનવતા અને પ્રતિષ્ઠા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા રૂપે મુક્ત કરે. આપણે જીવનભર યુદ્ધ જોયુ છે. હું પાકિસ્તાની સૈનિકોને મરતા નથી જોવા ઈચ્છતી. હું ભારતીય સૈનિકોને મરતા નથી જોવા ઈચ્છતી.'
|
‘પોતાના દેશને ક્યારેય પોતાના પડોશી દેશ સાથે શાંતિથી રહેતા નથી જોયો'
ફાતિમા ભુટ્ટોએ કહ્યુ, ‘મે પોતાના દેશને ક્યારેય પણ પોતાના પડોશી દેશ સાથે શાંતિથી રહેતા નથી જોયો. પરંતુ આ પહેલા મે ક્યારેય બે પરમાણુ હથિયારોવાળા દેશો વચ્ચે ટ્વીટર અકાઉન્ટ દ્વારા યુદ્ધ નહોતુ જોયુ. બુધવારે પાકિસ્તાનની કસ્ટડીમાં ભારતીય વાયુસેનાના પાયલટનો ફોટો આવવા પર ભારતે કડક વિરોધ દર્શાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આ અંગે સખત વિરોધ દર્શાવ્યો છે કે કેવી રીતે એક ઈજાગ્રસ્ત આર્મી ઓફિસરનો ફોટો શેર કરવામાં આવ્યો. ભારતે આને આંતરરાષ્ટ્રીય માનવાધિકારો અને જિનેવા કન્વેંશનનું ઉલ્લંઘન જણાવ્યુ.'

વિંગ કમાંડર અભિનંદનને પાછા લાવવાની કોશિશ
આ પહેલા બુધવારે પાકિસ્તાનનું વલણ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણે વિંગના પ્રમુખો સાથે લાંબી વાતચીત કરી અને પીએમે તેમને નિર્ણય લેવાની સંપૂર્ણ આઝાદી આપી. વળી, આજે સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે એનએસએ અજીત ડોભાલ અને અમેરિકી વિદેશ મંત્રી સાથે ટેલિફોન પર વાતચીત થઈ હતી. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યુ કે અમેરિકા પાકિસ્તાની ધરતી પર જૈશના આતંકી શિબિર સામે કાર્યવાહી કરવાના ભારતના નિર્ણયનું સમર્થન કર્યુ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
