કલકત્તાના બડા બજારમાં ભીષણ આગ, 30 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
કલકત્તામાં જે બડા બજારના જે વિસ્તારમાં આગ લાગી છે, તે જથ્થાબંધ વેપારનો વિસ્તાર છે. સ્થાનિક લોકો અનુસાર આગ અમરતલ્લા લેન પર સ્થિત એક બિલ્ડિંગમાં લાગી હતી.
પશ્ચિમ બંગાળ ની રાજધાની કલકત્તાના બડા બજારમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગ એક બિલ્ડિંગમાં લાગી હતી. આગની ભયાવહતા જોતા પહેલાં 20 ફાયરબ્રિગેડ ગાડીઓ આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ આગ સતત વધતા 30 ફાયર બ્રિગેડની ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. રાત્રે 2 વાગ્યા સુધી રાહત અને બચાવનું કાર્ય ચાલ્યું હતું.

કલકત્તાના બડા બજાર વિસ્તારમાં જથ્થાબંધ વેપારનો વિસ્તાર છે. સ્થાનિક લોકો અનુસાર આગ અમરતલ્લા લેન પર સ્થિત એક ઇમારતમાં લાગી હતી. જ્યાં એ આગ લાગી છે, ત્યાં ઘણી ઓફિસો અને સંસ્થાન છે. જે ઇમારતમાં આગ લાગી હતી, તેની આસપાસની ઇમારતો પણ સુરક્ષાની દ્રષ્ટિએ ખાલી કરાવવામાં આવ્યા હતા.
જ્યાં આગ લાગી હતી, ત્યાંની ગલીઓ પણ ખૂબ સાંકડી છે. આ જ કારણે ફાયર બ્રિગેડ કર્મચારીઓને આગ બુઝાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. કલકત્તાા મેયર અને ફાયર મિનિસ્ટર સોવન ચેટર્જીએ કહ્યું કે, દમકલકર્મી આગ પર કાબૂ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને ઇમારતની નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. તેમણે 6 થી 7 લોકોને ઇમારતમાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. સોવન ચેટર્જીએ જણાવ્યું કે, તપાસમાં આ આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોઇ શકે છે. કેટલાક લોકોને ઇજા પણ પહોંચી હતી.
કલકત્તાના મેયરે જણાવ્યું કે, જે ઇમારતમાં આગ લાગી છે, તેમાં અગ્નિશમન માટેનું કોઇ ઉપકરણ નહોતું. આ ઇમારતમાં ગોડાઉન, ઘર, ઓફિસ અને દુકાનો હતી. કેટલાક લોકો કહે છે કે, આ આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી છે, તો કેટલાક લોકો અનુસાર આ આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હતી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
