ચેન્નઈમાં તેલના ગોડાઉનમાં ભીષણ આગ, 500 ફાયરબ્રિગેડકર્મી હાજર
તમિલનાડુની રાજધાની ચેન્નઈના માધવરામ વિસ્તારમાં શનિવારે એક તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ.
તમિલનાડુની રાજધાની ચેન્નઈના માધવરામ વિસ્તારમાં શનિવારે એક તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક છે કે તેને ઓલવવા માટે ફાયરબ્રિગેડકર્મી 500 અને ફાયરબ્રિગેડની 26 ગાડીઓ હાજર છે. હજુ સુધી ઘટનામાં કોઈનો જીવ ગયાના સમાચાર નથી. આગના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાંથી આકાશમાં આગના ગોળા ઉઠતા દેખાઈ રહ્યા છે. વિસ્તારમાં કાળો ધૂમાડો છવાયેલો છે.
મનાલી ફાયર સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે અમે સાંજે 4 વાગ્યા આસપાસ એક કૉલ આવ્યો જેમાં જણાવવામાં આવ્યુ કે એક રાસાયણિક ગોડાઉનમાં આગ લાગી ગઈ છે. ત્યારબાદ અમે ઘણી ગાડીઓને ઘટના સ્થળે મોકલી. પરંતુ બાદમાં સૂચના મળી કે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ત્યારબાદ શહેરના લગભગ અડધી પાણીની ટેંકરો અને ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે. હાલમાં આગ પર ઘણી હદ સુધી કાબુ મેળવી લેવાયો છે.
#WATCH Tamil Nadu: Fire breaks out at an oil warehouse in Madhavaram area in Chennai. 12 fire tenders present at the spot. Fire-fighting operation is underway. pic.twitter.com/kHKmM0LBXY
— ANI (@ANI) February 29, 2020
આ પણ વાંચોઃ ભારતીયોના હિતોની રક્ષા કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઃ પીએમ મોદી